સમયસાર ગાથા ર૭૮-ર૭૯ ] [ ૩૦પ
અહાહા...! શુદ્ધ ચૈતન્યરસ-જ્ઞાનાનંદરસના અમૃતના સ્વાદિયા જ્ઞાનીને જે પુણ્ય- પાપના ભાવ થાય છે તે ઉપર ને ઉપર ભિન્ન તરતા રહે છે પણ સ્વભાવમાં પ્રવેશતા નથી. અહાહા...! જેને પુણ્ય-પાપથી અધિક પોતાનો નિર્મળ જ્ઞાનાનંદસ્વભાવ ભાસ્યો તેની દ્રષ્ટિમાં પુણ્ય-પાપના ભાવ ભિન્ન જ રહી જાય છે. અર્થાત્ એને જ્ઞાની પોતાથી ભિન્ન જાણે છે, સ્વરૂપમાં ભેળવતો નથી.
‘अतः कारकः न भवति’ તેથી તે (રાગાદિકનો) કર્તા નથી.
અહાહા...! જેણે પોતાનો વસ્તુસ્વભાવ જાણ્યો છે તે ધર્મી પુરુષ રાગાદિનો કર્તા નથી, અકર્તા છે, અર્થાત્ જ્ઞાતા જ છે. પર્યાયમાં નબળાઈને લીધે જે રાગાદિ થાય છે તેનો તે માત્ર જ્ઞાતા જ છે. અહા! તેને જે રાગ થાય એ માત્ર જાણેલો પ્રયોજનવાન છે અર્થાત્ તે રાગાદિને માત્ર જાણે જ છે, તેનો કર્તા થતો નથી. આવી વાત છે! હવે એને નવરાશ વિના કે દિ’ સાંભળે ને કે દિ’ એનો અંતરમાં મેળ કરે?