तेहिं दु परिणमंतो रागादी बंधदि पुणो वि।। २८१।।
तैस्तु परिणममानो रागादीन् बध्नाति पुनरपि।। २८१।।
હવે આ અર્થની ગાથા કહે છેઃ-
તે–રૂપ જે પ્રણમે, ફરી તે બાંધતો રાગાદિને. ૨૮૧.
ગાથાર્થઃ– [रागे च द्वेषे च कषायकर्मसु च एव] રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતાં) [ये भावाः] જે ભાવો થાય છે [तैः तु] તે-રૂપે [परिणममानः] પરિણમતો અજ્ઞાની [रागादीन्] રાગાદિકને [पुनः अपि] ફરીને પણ [बध्नाति] બાંધે છે.
ટીકાઃ– યથોક્ત વસ્તુસ્વભાવને નહિ જાણતો અજ્ઞાની (પોતાના) શુદ્ધસ્વભાવથી અનાદિ સંસારથી માંડીને ચ્યુત જ છે તેથી કર્મના ઉદયથી ઉત્પન્ન થતા રાગદ્વેષમોહાદિ ભાવોરૂપે પરિણમતો અજ્ઞાની રાગદ્વેષમોહાદિ ભાવોનો કર્તા થતો થકો (કર્મોથી) બંધાય જ છે-એવો નિયમ છે.
ભાવાર્થઃ– અજ્ઞાની વસ્તુના સ્વભાવને તો યથાર્થ જાણતો નથી અને કર્મના ઉદયથી જે ભાવો થાય છે તેમને પોતાના સમજીને પરિણમે છે, માટે તેમનો કર્તા થયો થકો ફરી ફરી આગામી કર્મ બાંધે છે-એવો નિયમ છે.
હવે આ અર્થની ગાથા કહે છેઃ-
‘યથોક્ત વસ્તુસ્વભાવને નહિ જાણતો અજ્ઞાની (પોતાના) શુદ્ધસ્વભાવથી અનાદિ સંસારથી માંડીને ચ્યુત જ છે...’
ઝીણી વાત છે પ્રભુ! શું કહે છે? કે અજ્ઞાની પોતાના શુદ્ધ એક પવિત્ર જ્ઞાન-