Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2802 of 4199

 

૩૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ ખરીદ્યું ને આટલું કમાણો એમ મોટા મોટા આંકડા ગણે પણ ભાઈ! ધૂળેય કમાણો નથી સાંભળને. એ બધી પરની ક્રિયા કે દિ’ તું કરી શકે છે? તેં તો ખાલી રાગ-દ્વેષ-મોહના ભાવ કર્યા બસ એટલું જ. અહિં કહે છે-અજ્ઞાનીને આ જે રાગદ્વેષમોહના પરિણામો છે તે જ ફરીને રાગદ્વેષમોહનું જે નિમિત્ત છે એવા પુદ્ગલકર્મના બંધનું નિમિત્ત કારણ થાય છે.

ઃ ગાથા ૨૮૨ નો ભાવાર્થઃ

‘અજ્ઞાનીને કર્મના નિમિત્તે જે રાગદ્વેષમોહ આદિ પરિણામો થાય છે તેઓ જ ફરીને આગામી કર્મબંધનાં કારણ થાય છે.’

જૂનું કર્મ રાગદ્વેષમોહાદિ વિકારનું નિમિત્ત થાય છે, અને તે વર્તમાન રાગદ્વેષમોહાદિના પરિણામ નવાં કર્મ બંધાય છે તેનું નિમિત્ત થાય છે આ પ્રમાણે અજ્ઞાનીને સંસાર પરંપરા છે. આવી વાત છે.

(પ્રવચન નં. ૩૪૧ (ચાલુ)*દિનાંક ૧૪-પ-૭૭)