૩૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ ખરીદ્યું ને આટલું કમાણો એમ મોટા મોટા આંકડા ગણે પણ ભાઈ! ધૂળેય કમાણો નથી સાંભળને. એ બધી પરની ક્રિયા કે દિ’ તું કરી શકે છે? તેં તો ખાલી રાગ-દ્વેષ-મોહના ભાવ કર્યા બસ એટલું જ. અહિં કહે છે-અજ્ઞાનીને આ જે રાગદ્વેષમોહના પરિણામો છે તે જ ફરીને રાગદ્વેષમોહનું જે નિમિત્ત છે એવા પુદ્ગલકર્મના બંધનું નિમિત્ત કારણ થાય છે.
‘અજ્ઞાનીને કર્મના નિમિત્તે જે રાગદ્વેષમોહ આદિ પરિણામો થાય છે તેઓ જ ફરીને આગામી કર્મબંધનાં કારણ થાય છે.’
જૂનું કર્મ રાગદ્વેષમોહાદિ વિકારનું નિમિત્ત થાય છે, અને તે વર્તમાન રાગદ્વેષમોહાદિના પરિણામ નવાં કર્મ બંધાય છે તેનું નિમિત્ત થાય છે આ પ્રમાણે અજ્ઞાનીને સંસાર પરંપરા છે. આવી વાત છે.