સમયસાર ગાથા ર૮૨ ] [ ૩૨૧
અહા! એ અજ્ઞાનીને અનાદિથી કર્મનો ઉદય જેમનું નિમિત્ત છે એવા રાગદ્વેષમોહાદિ પરિણામો છે. શું કીધું? આ પરવસ્તુની પ્રીતિ તે રાગ, પરવસ્તુની અપ્રીતિ તે દ્વેષ, અને તે રાગદ્વેષ મારા-એવો ભાવ તે મોહ-એમ અજ્ઞાનીને અનાદિથી રાગદ્વેષમોહાદિ પરિણામો છે. આદિ કહેતાં વિષયવાસના, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક વગેરે બધા પરિણામો સમજી લેવા.
આ કોઈ મરી જાય ત્યારે બાઈઓ રોતી નથી? એમાં કોઈને ધણી મરી જાય ત્યારે ‘કુવામાં ઉંડા ઉતારીને’ -એવું બધું રોવે. આ બધું નવાં કર્મ બંધાય એમાં નિમિત્ત છે એમ કહે છે. એમાં (રાગદ્વેષાદિમાં) જુનાં કર્મ નિમિત્ત છે અને નવાં કર્મ બંધાય એમાં આ રાગદ્વેષમોહના પરિણામ નિમિત્ત છે. નિમિત્ત છે, પણ કોઈ-કોઈના (એકબીજાના) કર્તા નહિ હોં; પુણ્ય-પાપના-રાગદ્વેષમોહના ભાવ કરે એમાં જુનાં કર્મ નિમિત્ત છે, પણ કર્મે એ કર્યા નથી; અને એ રાગદ્વેષમોહના પરિણામ નવાં કર્મ બંધાય એમાં નિમિત્ત છે, પણ એ નવું કર્મબંધન રાગ-દ્વેષ-મોહે કર્યું નથી. આમ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવ છે પણ કર્તાકર્મભાવ નથી.
આમાં અત્યારે મોટા વાંધા ઊઠયા છે. એમ કે સોનગઢવાળા નિમિત્તને માનતા નથી. હમણાં ભાઈ! એ કૈલાસચંદ્રજીએ ખુલાસો કર્યો છે કે-સોનગઢવાળા નિમિત્તને માનતા નથી એમ નથી, નિમિત્ત છે એમ તો માને છે, પણ નિમિત્તથી પરમાં (ઉપાદાનમાં) કાંઈ થાય છે એમ માનતા નથી. -વાત તો સાચી છે.
બે વાત આવી છે. એક તો ક્રમબદ્ધની; એમ કે દરેક દ્રવ્યમાં જે સમયે જે અવસ્થા થવાની હોય તે સમયે તે અવસ્થા થાય થાય ને થાય એમ બધું ક્રમબદ્ધ જ છે; પણ એની યથાર્થ પ્રતીતિ એને થાય છે કે જેની દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય (-આત્મા) પર હોય છે. બીજી નિમિત્તનીઃ એમ કે સોનગઢવાળા નિમિત્તને નથી માનતા એમ નહિ, પણ તેઓ નિમિત્તને પરના કર્તા માનતા નથી. જેમ કે-પાણી ઉનું થાય ત્યારે અગ્નિ નિમિત્ત છે, પણ અગ્નિએ પાણી ઉનું કર્યું નથી. પાણી ઉનું થયું છે એ પોતાના કારણે થયું છે, અગ્નિના કારણે નહિ.
તો પ્રશ્ન થાય કે જો અગ્નિને દૂર કરો તો પાણી ઉનું નહિ રહે.
સમાધાન એમ છે કે-પાણી ઉનું નહિ રહે તે પણ પોતાના કારણે. ટાઢું થાય એ પણ પોતાના કારણે ને ઉનું થાય એ પણ પોતાના કારણે, અને ત્યારે અગ્નિનું ન હોવું ને હોવું એ તો નિમિત્તમાત્ર છે.
પરદ્રવ્યના કારણે પરમાં કાંઈ થતું નથી એ મૂળ સિદ્ધાંત છે. અજ્ઞાની કલ્પનાથી માને કે મેં આ કર્યું ને તે કર્યું. દુકાને-ધંધે બેઠો હોય ત્યારે આ વેચ્યું ને આ