Pravachan Ratnakar (Gujarati). Gatha: 282.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2800 of 4199

 

ગાથા–૨૮૨

ततः स्थितमेतत्–

रागम्हि य दासम्हि य कसायकम्मेसु चेव जे भावा।
तेहिं दु परिणमंतो रागादी बंधदे चेदा।। २८२।।
रागे च द्वेषे च कषायकर्मसु चैव ये भावाः।
तैस्तु परिणममानो रागादीन् बध्नाति चेतयिता।। २८२।।
એમ રાગ–દ્વેષ–કષાયકર્મનિમિત્ત થાયે ભાવ જે,
તે–રૂપ આત્મા પરિણમે, તે બાંધતો રાગાદિને. ૨૮૨.

ગાથાર્થઃ– [रागे च द्वेषे च कषायकर्मसु च एव] રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતાં) [ये भावाः] જે ભાવો થાય છે [तैः तु] તે-રૂપે [परिणममानः] પરિણમતો થકો [चेतयिता] આત્મા [रागादीन्] રાગાદિકને [बध्नाति] બાંધે છે.

ટીકાઃ– ખરેખર અજ્ઞાનીને, પુદ્ગલકર્મ જેમનું નિમિત્ત છે એવા જે આ રાગદ્વેષમોહાદિ પરિણામો છે, તેઓ જ ફરીને રાગદ્વેષમોહાદિ પરિણામોનું નિમિત્ત જે પુદ્ગલકર્મ તેના બંધનું કારણ છે.

ભાવાર્થઃ– અજ્ઞાનીને કર્મના નિમિત્તે જે રાગદ્વેષમોહ આદિ પરિણામો થાય છે તેઓ જ ફરીને આગામી કર્મબંધનાં કારણ થાય છે.

સમયસાર ગાથા ૨૮૨ઃ મથાળું

તેથી આમ ઠર્યું-એમ હવે કહે છેઃ-

* ગાથા ૨૮૨ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘ખરેખર અજ્ઞાનીને, પુદ્ગલકર્મ જેમનું નિમિત્ત છે એવા જે આ રાગદ્વેષમોહાદિ પરિણામો છે, તેઓ જ ફરીને રાગદ્વેષમોહાદિ પરિણામોનું નિમિત્ત જે પુદ્ગલકર્મ તેના બંધનું કારણ છે.’

અહાહા...! આત્મા અનંત અનંત ગુણરત્નથી ભરેલો ચૈતન્યરત્નાકર છે. ચૈતન્યમય રત્નનો આકર નામ ભંડાર-સમુદ્ર ભગવાન આત્મા છે. એની જેને ખબર ન મળે તે અજ્ઞાની છે.