ततः स्थितमेतत्–
तेहिं दु परिणमंतो रागादी बंधदे चेदा।। २८२।।
तैस्तु परिणममानो रागादीन् बध्नाति चेतयिता।। २८२।।
તે–રૂપ આત્મા પરિણમે, તે બાંધતો રાગાદિને. ૨૮૨.
ગાથાર્થઃ– [रागे च द्वेषे च कषायकर्मसु च एव] રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતાં) [ये भावाः] જે ભાવો થાય છે [तैः तु] તે-રૂપે [परिणममानः] પરિણમતો થકો [चेतयिता] આત્મા [रागादीन्] રાગાદિકને [बध्नाति] બાંધે છે.
ટીકાઃ– ખરેખર અજ્ઞાનીને, પુદ્ગલકર્મ જેમનું નિમિત્ત છે એવા જે આ રાગદ્વેષમોહાદિ પરિણામો છે, તેઓ જ ફરીને રાગદ્વેષમોહાદિ પરિણામોનું નિમિત્ત જે પુદ્ગલકર્મ તેના બંધનું કારણ છે.
ભાવાર્થઃ– અજ્ઞાનીને કર્મના નિમિત્તે જે રાગદ્વેષમોહ આદિ પરિણામો થાય છે તેઓ જ ફરીને આગામી કર્મબંધનાં કારણ થાય છે.
તેથી આમ ઠર્યું-એમ હવે કહે છેઃ-
‘ખરેખર અજ્ઞાનીને, પુદ્ગલકર્મ જેમનું નિમિત્ત છે એવા જે આ રાગદ્વેષમોહાદિ પરિણામો છે, તેઓ જ ફરીને રાગદ્વેષમોહાદિ પરિણામોનું નિમિત્ત જે પુદ્ગલકર્મ તેના બંધનું કારણ છે.’
અહાહા...! આત્મા અનંત અનંત ગુણરત્નથી ભરેલો ચૈતન્યરત્નાકર છે. ચૈતન્યમય રત્નનો આકર નામ ભંડાર-સમુદ્ર ભગવાન આત્મા છે. એની જેને ખબર ન મળે તે અજ્ઞાની છે.