Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2941 of 4199

 

સમયસાર ગાથા ૨૯૮-૨૯૯ ] [ ૪૬૧ વાતના કહેનાર મળી આવે. અહા! આવું આ દુર્લભ તત્ત્વ વર્તમાનમાં મહાદુર્લભ થઈ પડયું છે.

ભાઈ! દુનિયા માનો કે ન માનો, હા પાડો કે ન પાડો; વસ્તુસ્થિતિ તો આ જ છે. પંડિતો માને કે ન માને, વા વિરોધ કરે તો કરો, પણ વસ્તુસ્વરૂપમાં ફેર પડે એમ નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે કે-

પંડિય પંડિય પંડિય કણ છોડિ વિતુસ કેડિયા

હે પાંડે! હે પાંડે! હે પાંડે! તું કણને છોડી માત્ર ફોતરાં જ ખાંડે છે. અરેરે! તેં માલ ન લીધો તો ફોતરાંથી તને શો લાભ છે?

જુઓ, એક ઊંચા ગૃહસ્થની સ્ત્રી ડાંગર ખાંડતી હતી. ખાંડણીમાં ઉપર ઉપર ફોતરાં દેખાય અને દાણા તો નીચે જાય. એક ગરીબ અણઘડ બાળએ આ જોયું ને કયાકથી ફોતરાં લાવીને મંડી પડી ખાંડવા. એને એમ કે આ ઉંચા ઘરની બાઈ ફોતરાં ખાંડે છે તો તેમાં કાંઈક લાભ હોવો જોઈએ. પણ એને શું લાભ થાય? કાંઈ નહિ; ખાલી મહેનત માથે પડે.

તેમ કોઈ અજ્ઞાની દેખે કે-આ સમ્યગ્જ્ઞાની ભાવલિંગી મુનિવરો મહાવ્રતાદિ પાળે છે તો લાવ હુંય પાળું. તેનેે કહીએ છીએ-ભાઈ! તારી મહેનત ફોગટ જશે; આ ફેરો ફોગટ જશે ભાઈ! એ મહાવ્રતાદિના રાગના ભાવ બધા પરભાવ છે ને એ સર્વ પ્રકારે હેય છે એમ ભગવાનની વાણીમાં આવ્યું છે. સમજાણું કાંઈ...?

[પ્રવચન નં. ૩પ૭ થી ૩પ૯ *દિનાંક પ-૬-૭૭ થી ૭-૬-૭૭]