૨] [પ્રવચન રત્નાકર ભાગ-૯
अज्ञानादेव कर्तायं तदभावादकारकः।। १९४।।
अथात्मनोऽकर्तृत्वं द्रष्टान्तपुरस्सरमाख्याति– જીવ-અજીવ, કર્તાકર્મ, પુણ્ય-પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ આઠ સ્વાંગ આવ્યા, તેમનું નૃત્ય થયું અને પોતપોતાનું સ્વરૂપ બતાવી તેઓ નીકળી ગયા. હવે સર્વ સ્વાંગો દૂર થયે એકાકાર સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે.
ત્યાં પ્રથમ જ, મંગળરૂપે જ્ઞાનપુંજ આત્માના મહિમાનું કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [अखिलान् कर्तृ–भोक्तृ–आदि–भावान् सम्यक् प्रलयम् नीत्वा] સમસ્ત કર્તા-ભોક્તા આદિ ભાવોને સમ્યક્ પ્રકારે નાશ પમાડીને [प्रतिपदम्] પદે પદે (અર્થાત્ કર્મના ક્ષયોપશમના નિમિત્તથી થતા દરેક પર્યાયમાં) [बन्ध–मोक्ष–प्रक्ऌप्तेः दूरीभूतः] બંધ-મોક્ષની રચનાથી દૂર વર્તતો, [शुद्धः शुद्धः] શુદ્ધ-શુદ્ધ (અર્થાત્ જે રાગાદિક મળ તેમ જ આવરણ-બન્નેથી રહિત છે એવો), [स्वरस–विसर–आपूर्ण– पुण्य–अचल–अर्चिः] જેનું પવિત્ર અચળ તેજ નિજરસના (-જ્ઞાનરસના, જ્ઞાનચેતનારૂપી રસના) ફેલાવથી ભરપૂર છે એવો, અને [टङ्कोत्कीर्ण–प्रकट–महिमा] જેનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે એવો [अयं ज्ञानपुञ्जः स्फूर्जति] આ જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે.
ભાવાર્થઃ– શુદ્ધનયનો વિષય જે જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે કર્તાભોક્તાપણાના ભાવોથી રહિત છે, બંધમોક્ષની રચનાથી રહિત છે, પરદ્રવ્યથી અને પરદ્રવ્યના સર્વ ભાવોથી રહિત હોવાથી શુદ્ધ છે, પોતાના સ્વરસના પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે અને ટંકોત્કીર્ણ મહિમાવાળો છે. એવો જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે. ૧૯૩.
હવે સર્વવિશુદ્ધ જ્ઞાનને પ્રગટ કરે છે. તેમાં પ્રથમ, ‘આત્મા કર્તા-ભોક્તાભાવથી રહિત છે’ એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છેઃ-
શ્લોકાર્થઃ– [कर्तृत्वं अस्य चितः स्वभावः न] કર્તાપણું આ ચિત્સ્વરૂપ આત્માનો સ્વભાવ નથી, [वेदयितृत्ववत्] જેમ ભોક્તાપણું સ્વભાવ નથી. [अज्ञानात् एव अयं कर्ता] અજ્ઞાનથી જ તે કર્તા છે, [तद्–अभावात् अकारकः] અજ્ઞાનનો અભાવ થતાં અકર્તા છે. ૧૯૪.
હવે આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંતપૂર્વક કહે છેઃ-