Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 307 of 4199

 

૨૬ ] [ ગાથા-૧૭-૧૮

શ્લોકાર્થઃ– આચાર્ય કહે છે કેઃ [अनन्तचैतन्यचिह्नं] અનંત (અવિનશ્વર) ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી [इदम् आत्मज्योतिः] આ આત્મજ્યોતિને [सततम् अनुभवामः] અમે નિરંતર અનુભવીએ છીએ [यस्मात्] કારણ કે [अन्यथा साध्य– सिद्धिः न खलु न खलु] તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી. કેવી છે આત્મજ્યોતિ? [कथम् अपि समुपात्तक्रित्वम् अपि एकतायाः अपतितम्] જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે તોપણ જે એકપણાથી ચ્યુત થઈ નથી અને [अच्छम् उद्गच्छत्] જે નિર્મળપણે ઉદ્રય પામી રહી છે.

ભાવાર્થઃ– આચાર્ય કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાયદ્રષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે તોપણ શુદ્ધદ્રવ્યદ્રષ્ટિથી જે એકપણાથી રહિત નથી થઈ તથા જે અનંત ચૈતન્યસ્વરૂપ નિર્મળ ઉદયને પ્રાપ્ત થઈ રહી છે એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. આમ કહેવાથી એવો આશય પણ જાણવો કે જે સમ્યગ્દ્રષ્ટિ પુરુષ છે તે, જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરે. ૨૦.

ટીકાઃ– હવે, કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્યસ્વરૂપે છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે; તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? તેનું સમાધાનઃ તે એમ નથી. જોકે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્યસ્વરૂપ છે તોપણ એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી; કારણ કે સ્વયંબુદ્ધત્વ (પોતે પોતાની મેળે જાણવું તે) અથવા બોધિતબુદ્ધત્વ (બીજાના જણાવવાથી જાણવું તે) -એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. (કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે-જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે.) અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલાં શું આત્મા અજ્ઞાની જ છે કેમ કે તેને સદાય અપ્રતિબુદ્ધપણું છે? તેનો ઉત્તરઃ એ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે.

* ગાથા ૧૭–૧૮ઃ ટીકા ઉપરનું પ્રવચન *

નિશ્ચયથી એટલે ખરેખર જેમ કોઈ ધન-અર્થી-લક્ષ્મીની જરૂરિયાતવાળો પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે. એનાં કપડાં, શરીર, વૈભવ, એનો ચહેરો, કપાળ વગેરે લક્ષણોથી પ્રથમ જાણે કે આ રાજા છે. લક્ષ્મીવંત છે, ઉપજ ઘણી છે, શરીરમાં પણ પુણ્ય દેખાય છે માટે આ રાજા છે. પછી તેની શ્રદ્ધા કરે કે આ જરૂર રાજા જ છે, તેનું સેવન કરવાથી જરૂર ધનની પ્રાપ્તિ થશે. ત્યાર પછી તેનું અનુચરણ કરે, એટલે એની આજ્ઞા પ્રમાણે રહે, એની સેવા કરે અને એને પ્રસન્ન કરે. જુઓ, આ દ્રષ્ટાંત છે. તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો. જુઓ, પહેલામાં પહેલું એને કરવાનું હોય