Pravachan Ratnakar (Gujarati). Gatha: 314-315.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3070 of 4199

 

ગાથા ૩૧૪–૩૧પ
जा एस पयडीअट्ठं चेदा णेव विमुंचए।
अयाणओ हवे ताव मिच्छादिट्ठी असंजओ।। ३१४।।
जदा विमुंचए चेदा कम्मफलमणंतयं।
तदा विमुत्तो हवदि जाणओ पासओ मुणी।। ३१५।।
यावदेष प्रकृत्यर्थ चेतयिता नैव विमुञ्चति।
अज्ञायको भवेत्तावन्मिथ्याद्रष्टिरसंयतः।। ३१४।।
यदा विमुञ्चति चेतयिता कर्मफलमनन्तकम्।
तदा विमुक्तो भवति ज्ञायको दर्शको मुनिः।। ३१५।।

(‘જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજવું-વિણસવું ન છોડે ત્યાં સુધી તે અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ, અસંયત છે’ એમ હવે કહે છેઃ-)

ઉત્પાદ–વ્યય પ્રકૃતિનિમિત્તે જ્યાં લગી નહિ પરિતજે,
અજ્ઞાની, મિથ્યાત્વી, અસંયત ત્યાં લગી આ જીવ રહે; ૩૧૪.
આ આતમા જ્યારે કરમનું ફળ અનંતું પરિતજે,
જ્ઞાયક તથા દર્શક તથા મુનિ તેહ કર્મવિમુક્ત છે. ૩૧પ.

ગાથાર્થઃ– [यावत्] જ્યાં સુધી [एषः चेतयिता] આ આત્મા [प्रकृत्यर्थ] પ્રકૃતિના નિમિત્તે ઊપજવું-વિણસવું [न एव विमुञ्चति] છોડતો નથી, [तावत्] ત્યાં સુધી તે [अज्ञायकः] અજ્ઞાયક છે, [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ છે, [असंयतः भवेत्] અસંયત છે.

[यदा] જ્યારે [चेतयिता] આત્મા [अनन्तकम् कर्मफलम्] અનંત કર્મફળને [विमुञ्चति] છોડે છે, [तदा] ત્યારે તે [ज्ञायकः] જ્ઞાયક છે, [दर्शकः] દર્શક છે, [मुनिः] મુનિ છે, [विमुक्तः भवति] વિમુક્ત (અર્થાત્ બંધથી રહિત) છે.

ટીકાઃ– જ્યાં સુધી આ આત્મા, (પોતાનાં અને પરનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન (ભેદજ્ઞાન) નહિ હોવાને લીધે, પ્રકૃતિના સ્વભાવને-કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને-છોડતો નથી, ત્યાં સુધી સ્વ-પરના એકત્વજ્ઞાનથી અજ્ઞાયક છે, સ્વપરના એકત્વદર્શનથી (એકત્વરૂપ શ્રદ્ધાનથી) મિથ્યાદ્રષ્ટિ છે અને સ્વપરની એકત્વપરિણતિથી અસંયત છે; અને ત્યાં સુધી જ પરના અને પોતાના એકત્વનો