૧૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ બોલાતી અટકે એ પણ જડની જ ક્રિયા છે. જ્ઞાની તો બેમાંથી એકેયનો કર્તા નથી. સમજાણું કાંઈ..?
અહાહા....! જ્ઞાની કહે છે કે-અમે વાણીમાં કે વિકલ્પમાં ઊભા નથી, અમે તો અમારા જ્ઞાનમાત્ર ભાવમાં જ છીએ. વાણીના કે વિકલ્પના કર્તાપણે અમને જોશો મા, - જોશો તો તમારું જ્ઞાન મિથ્યા થશે. અહો! ભગવાન કેવળીની જેમ શુદ્ધજ્ઞાનપરિણત ધર્મી પુરુષ શરીરને-મનને-વાણીને, કર્મના બંધ-મોક્ષને કર્મોદયને અને નિર્જરાને કરતો નથી;-તો શું કરે છે? માત્ર જાણે જ છે અર્થાત્ શુદ્ધજ્ઞાનપણે જ રહે છે. આ ‘જાણે જ છે’ -એવો જે ભાવ છે તે મોક્ષમાર્ગ છે. અહા! વસ્તુસ્થિતિ જેમ છે તેમ જાણવાપણે રહેનારો હું તો એક જ્ઞાયકભાવમાત્ર આત્મા છું-એમ પોતાને જાણવો-અનુભવવો તે મોક્ષમાર્ગ છે. અહા! -
સમવસરણની મધ્યમાં સીમંધર ભગવાન.
જુઓ, અહીં પહેલાં પેરેગ્રાફમાં ત્રણ વાત આવીઃ ૧. શુદ્ધજ્ઞાનસ્વરૂપ જે આત્મા છે તેનું શુદ્ધ જ્ઞાન પુણ્ય-પાપ આદિ ભાવને કરતું નથી અને વેદતું નથી.
૨. આમાં શુદ્ધજ્ઞાનપરિણત જીવદ્રવ્ય લીધું છે. પરથી અને રાગથી ભિન્ન શુદ્ધજ્ઞાનઘન પ્રભુ આત્માનું જેને નિર્મળ શ્રદ્ધાન થયું છે તે શુદ્ધજ્ઞાન પરિણત જીવ છે અને તે રાગનો કર્તા કે ભોક્તા નથી. છદ્મસ્થ છે એટલે તેને રાગ આવે પણ તેનો તે અકારક અને અવેદક જ છે.
૩. ક્ષાયિકજ્ઞાન-કેવળજ્ઞાન જેમને પ્રગટ થયું છે એવા જે કેવળી પરમાત્મા છે તે રાગરહિત પૂરણ વીતરાગ છે, તેથી તેઓ પણ કર્મોના અકારક અને અવેદક છે. તેમને બહારમાં શરીરની દશા નગ્ન હોય છે અને આહાર-પાણી હોતાં નથી. અહા! આવા કેવળી ભગવાન રાગને કરતા નથી તેમ જ વેદતાય નથી.
આમ ત્રણ વાત કર્યા પછી ફરીથી સાધક જીવની વાત કરે છે. શું? કે શુદ્ધજ્ઞાનપરિણત જીવ શું કરે છે? કે જાણે છે. કોને? બંધ-મોક્ષને; માત્ર બંધ-મોક્ષને; નહિ, શુભ-અશુભ કર્મોદયને તથા સવિપાક-અવિપાકરૂપે ને સકામ-અકામરૂપે બે પ્રકારની નિર્જરાને પણ જાણે છે. અહાહા...! ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનવાળો જીવ છે તે રાગરૂપી ભાવબંધને જાણે અને રાગનો અભાવ થાય, મોક્ષ થાય તેને પણ જાણે છે. શુભાશુભ કર્મોદયને અને પ્રતિસમય થવાવાળી સવિપાક-અવિપાકરૂપ ને સકામ-અકામરૂપ નિર્જરાને પણ તે જાણે જ છે. તે એના કરવાપણે કે વેદવાપણે રહેતો નથી પણ માત્ર જ્ઞાતાપણે જ રહે છે. આવી બધી અલૌકિક વાતો છે.