સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧પ૩
જુઓ, આત્માના પાંચ ભાવોમાં કયા ભાવ મોક્ષનું કારણ છે એની આ વાત ચાલે છે. ત્યાં કહે છે-શુદ્ધ એક ચૈતન્યસ્વભાવની ભાવનાથી પ્રગટેલા ઔપશમિક આદિ ત્રણ ભાવો મોક્ષનું કારણ છે, ને તે ત્રણે ભાવો રાગરહિત શુદ્ધ છે. રાગ છે તે ઔદયિકભાવ છે અને તે મોક્ષના કારણભૂત નથી. આ પ્રમાણે અસ્તિ-નાસ્તિરૂપ મોક્ષમાર્ગનું સ્વરૂપ કહ્યું. આવા મોક્ષમાર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે. શુદ્ધ આત્મ-દ્રવ્યનું અવલંબન ચોથે ગુણસ્થાનેથી શરૂ થાય છે. ત્યાં જેટલું શુદ્ધાત્માનું અવલંબન તેટલી શુદ્ધતા છે; ને તે શુદ્ધતાને જ ઉપશમાદિ ભાવત્રય કહે છે, ઉદયભાવ-રાગભાવ તો એનાથી બહાર જ છે.
પણ તે કાળે રાગ છે તો ખરો? છે ને? તે કાળે રાગ હો, પણ તેથી શું? આખી દુનિયા છે, પણ એનાથી જ્ઞાન જુદું છે, જ્ઞાન તેને કરતું નથી; તેમ રાગનેય જ્ઞાન કરતું નથી, ભોગવતું નથી, જાણે જ છે. ભાઈ! સમકિતીને સમ્યક્ત્વાદિ જે નિર્મળ નિર્મળ ભાવો છે તે રાગથી મુક્ત જ છે, ભિન્ન જ છે. અહો! ભગવાન આત્મા તો ભિન્ન હતો જ, ને પરિણતિ સ્વાભિમુખ થઈ ત્યાં તે પણ રાગથી ભિન્ન જ થઈ. ભાઈ! રાગ રાગમાં હો, પણ રાગ જ્ઞાનમાં નથી, કેમકે જ્ઞાને રાગને ગ્રહ્યો નથી, રાગ જ્ઞાનમાં જણાતાં ‘આ રાગ હું’ -એમ જ્ઞાને રાગને પકડયો નથી. ‘હું તો જ્ઞાન છું’ -એમ જ્ઞાન પોતાને જ્ઞાનપણે જ વેદે છે. આવા વેદનમાં સાથે આનંદ છે, પણ એમાં રાગ નથી. સમજાણું કાંઈ...?
અરે જીવ! મોક્ષના કારણરૂપ તારી નિર્મળદશા કેવી હોય તેને ઓળખ તો ખરો! અહા! તારી સ્વરૂપસંપદાને ઓળખતાં તે પ્રગટ થાય છે. ભાઈ! મોક્ષના કારણરૂપ તે દશા-
-શુદ્ધ એક પરમસ્વભાવભાવને જ અવલંબનારી છે, પરને ને રાગને
-દેહ, મન, વચન આદિ જગતના સર્વ અન્યપદાર્થોથી ભિન્ન છે. -પુણ્ય-પાપ આદિ ભાવકર્મથી પણ ભિન્ન છે. તેમાં રાગનો એક કણ પણ
-શુદ્ધ ઉપાદાનકારણભૂત છે. અહા! મોક્ષના કારણરૂપ તે દશા સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા આદિ નિજભાવોથી ભરપૂર છે. અહો! સમકિતીને સ્વાવલંબે પ્રગટેલી ચૈતન્યસંપદા આગળ જગતની જડસંપદા કાંઈ નથી ; કેમકે પુણ્યને આધીન એ જડસંપદા પરમસુખમય મોક્ષને દેવા સમર્થ નથી. આવી વાત છે.