Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3194 of 4199

 

સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૭પ આ રીતે ધર્મી પુરુષ નિજ પરમાત્મતત્ત્વને ભાવીને-ધ્યાવીને ધ્યાનનું ફળ જે મોક્ષ તે અવિચલ દશાને પ્રાપ્ત થઈ જાય છે.

અરેરે! એણે પોતાના અંતરંગ પરમાત્મસ્વરૂપનો ઈન્કાર કરીને પોતાને મરણ- તુલ્ય કરી નાખ્યો છે! અહા! એણે અનંતકાળમાં પોતાની દયા કરી નહિ! જેવું પોતાનું પૂરણ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યતત્ત્વ છે તેને તે રીતે માન્યું નહિ. એણે પોતાને રાગવાળો ને પુણ્યવાળો માન્યો છે; પર્યાયદ્રષ્ટિ થઈને આ પર્યાય છે તે હું છું એમ માન્યું છે. પણ ભાઈ! તે વડે તેં તારો પોતાનો ઘાત જ કર્યો છે, કેમકે પર્યાયમાત્ર વસ્તુ નથી.

અહીં કહે છે-નિજકારણપરમાત્મદ્રવ્ય છે તે હું છું એમ ધર્માત્મા ભાવના કરે છે, પરંતુ હું ખંડજ્ઞાન છું એમ ભાવના કરતો નથી. અહા! સમકિતીને જ્ઞાન ને આનંદની નિર્મળ પર્યાય પ્રગટી છે, તેને તે જાણે છે, પણ તેની એ ભાવના કરતો નથી. અહા! નિર્મળ પર્યાય પ્રતિ પણ આવો તે ઉદાસીન છે. સમજાય છે કાંઈ...? ભાઈ! શાસ્ત્રની આ ભાષા અને ભાવ જેને સમજાય તેને ભવનાશિની શુદ્ધઆત્મભાવના પ્રગટ થાય છે, અને એ જ આ ‘તાત્પર્યવૃત્તિ’ નું તાત્પર્ય છે.

હવે છેલ્લે કહે છે- ‘આ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ એવાં આગમ-અધ્યાત્મના- તેમ જ નયદ્વયના (દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયના) અભિપ્રાયના અવિરોધપૂર્વક જ કહેવામાં આવ્યું હોવાથી સિદ્ધ છે (-નિર્બાધ છે) એમ વિવેકીઓએ જાણવું.’

જુઓ, ભગવાનનાં કહેલાં જે શાસ્ત્રો છે તેમાં આગમ અને અધ્યાત્મનાં શાસ્ત્રો છે. ભગવાને કહેલાં જે દ્રવ્યો છે તેનું જેમાં નિરૂપણ કરવામાં આવ્યું છે તેને આગમ કહીએ. અનંતા આત્મા છે, અનંતા-અનંત પુદ્ગલદ્રવ્યો છે, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, એક આકાશ અને અસંખ્યાત કાલાણુ-આમ જાતિએ છ દ્રવ્યો છે, સંખ્યાએ અનંત છે. આ સર્વનું જેમાં નિરૂપણ છે તે આગમ છે તથા જેમાં શુદ્ધ નિશ્ચયસ્વરૂપ આત્મદ્રવ્ય કેવું છે અને તેની નિર્મળ પર્યાય કેવી છે તેનું નિરૂપણ છે તે અધ્યાત્મશાસ્ત્ર છે. આચાર્ય કહે છે-એ બન્નેના સાપેક્ષથી અહીં કથન કર્યું છે.

વળી નયદ્વયના અભિપ્રાયના અવિરોધપૂર્વક જ અહીં કહેવામાં આવ્યું છે. માટે આ કથન સિદ્ધ છે, નિર્બાધ છે-એમ વિવેકીઓએ જાણવું જોઈએ. વર્તમાન પર્યાયમાં આનંદનો અનુભવ થઈને જે નિર્વિકલ્પ નિર્મળ ભાવનારૂપ દશા પ્રગટ થઈ તે પર્યાયાર્થિકનયનો, વ્યવહારનયનો વિષય છે; અને જેનું લક્ષ કરીને તે પ્રગટ થઈ તે ત્રિકાળી શુદ્ધ પરમાત્મદ્રવ્ય શુદ્ધ નિશ્ચયનયનો, દ્રવ્યાર્થિકનયનો વિષય છે. આમ નયદ્વયના અવિરોધપૂર્વક પરસ્પર સાપેક્ષ સર્વ કથન છે. માટે આ કથન સિદ્ધ છે, નિર્દોષ છે, નિર્બધ છે એમ વિવેકી પુરુષોએ જાણવું. જેને વિવેક નથી તે ગમે તેમ જાણે અને માને, પણ વિવેકી