૨૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
न च भवन्ति तस्य तानि तु भणति च मोहेन स आत्मा।। ३२५।।
एवमेव मिथ्याद्रष्टिर्ज्ञानी निःसंशयं भवत्येषः।
यः परद्रव्यं ममेति जानन्नात्मानं करोति।। ३२६।।
परद्रव्ये जानन् जानीयात् द्रष्टिरहितानाम्।। ३२७।।
[व्यवहारभाषितेन तु] વ્યવહારનાં વચનોને ગ્રહીને [परद्रव्यं मम] ‘પરદ્રવ્ય મારું છે’ [भणन्ति] એમ કહે છે, [तु] પરંતુ જ્ઞાનીઓ [निश्चयेन जानन्ति] નિશ્ચય વડે જાણે છે કે ‘[किञ्चित्] કોઈ [परमाणुमात्रम् अपि] પરમાણુમાત્ર પણ [न च मम] મારું નથી’ .
‘અમારું ગામ, અમારો દેશ, અમારું નગર, અમારું રાષ્ટ્ર’ [जल्पति] એમ કહે છે, [तु] પરંતુ [तानि] તે [तस्य] તેનાં [न च भवन्ति] નથી, [मोहेन च] મોહથી [सः आत्मा] તે આત્મા [भणति] ‘મારાં’ કહે છે; [एवम् एव] તેવી જ રીતે [यः ज्ञानी] જે જ્ઞાની પણ [परद्रव्यं मम] ‘પરદ્રવ્ય મારું છે’ [इति जानन्] એમ જાણતો થકો [आत्मानं करोति] પરદ્રવ્યને પોતારૂપ કરે છે, [एषः] તે [निःसंशयं] નિઃસંદેહ અર્થાત્ ચોક્કસ [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ [भवति] થાય છે.
[एतेषां द्वयेषाम् अपि] આ બન્નેનો (-લોકનો અને શ્રમણનો-) [परद्रव्ये] પરદ્રવ્યમાં [कर्तृव्यवसायं जानन्] કર્તાપણાનો વ્યવસાય જાણતા થકા, [जानीयात्] એમ જાણે છે કે [द्रष्टिरहितानाम्] આ વ્યવસાય સમ્યગ્દ્રર્શન રહિત પુરુષોનો છે.
‘આ મારું છે’ એમ દેખે છે-માને છે; જ્ઞાનીઓ તો નિશ્ચયપ્રતિબુદ્ધ (નિશ્ચયના જાણનારા) હોવાથી પરદ્રવ્યની કણિકામાત્રને પણ ‘આ મારું છે’ એમ દેખતા નથી. તેથી, જેમ આ જગતમાં કોઈ વ્યવહારવિમૂઢ એવો પારકા ગામમાં રહેનારો માણસ ‘આ ગામ મારું છે’ એમ દેખતો-માનતો થકો મિથ્યાદ્રષ્ટિ (-ખોટી દ્રષ્ટિવાળો) છે. તેમ જો જ્ઞાની પણ કોઈ પણ પ્રકારે વ્યવહારવિમૂઢ થઈને પરદ્રવ્યને ‘આ મારું છે’ એમ દેખે તો તે વખતે તે પણ નિઃસંશયપણે અર્થાત્ ચોક્કસ,