સમયસાર ગાથા ૩૨૪ થી ૩૨૭ ] [ ૨૦૧
सम्बन्ध एव सकलोऽपि यतो निषिद्धः।
तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे
पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम्।। २०१।।
मज्ञानमग्नमहसो बत ते वराकाः।
कुर्वन्ति कर्म तत एव हि भावकर्म–
कर्ता स्वयं भवति चेतन एव नान्यः।। २०२।।
પરદ્રવ્યને પોતારૂપ કરતો થકો, મિથ્યાદ્રષ્ટિ જ થાય છે. માટે તત્ત્વને જાણનારો પુરુષ ‘સઘળુંય પરદ્રવ્ય મારું નથી’ એમ જાણીને, ‘લોક અને શ્રમણ-બન્નેને જે આ પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય છે તે તેમના સમ્યગ્દ્રર્શનરહિતપણાને લીધે જ છે’ એમ સુનિશ્ચિતપણે જાણે છે.
હો કે મુનિજન હો-મિથ્યાદ્રષ્ટિ જ છે. જ્ઞાની પણ જો વ્યવહારમૂઢ થઈને પરદ્રવ્યને ‘મારું’ માને તો મિથ્યાદ્રષ્ટિ જ થાય છે.
શ્લોકાર્થઃ– [यतः] કારણ કે [इह] આ લોકમાં [एकस्य वस्तुनः अन्यतरेण
सार्ध सकलः अपि सम्बन्धः एव निषिद्धः] એક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળોય સંબંધ જ નિષેધવામાં આવ્યો છે, [तत्] તેથી [वस्तुभेदे] જ્યાં વસ્તુભેદ છે અર્થાત્ ભિન્ન વસ્તુઓ છે ત્યાં [कर्तृकर्मघटना अस्ति न] કર્તાકર્મઘટના હોતી નથી- [मुनयः च जनाः च] એમ મુનિજનો અને લૌકિક જનો [तत्त्वम् अकर्तृ पश्यन्तु] તત્ત્વને (વસ્તુના યથાર્થ સ્વરૂપને) અકર્તા દેખો (-કોઈ કોઈનું કર્તા નથી, પરદ્રવ્ય પરનું અકર્તા જ છે- એમ શ્રદ્ધામાં લાવો). ૨૦૧.
“જે પુરુષો આવો વસ્તુસ્વભાવનો નિયમ જાણતા નથી તેઓ અજ્ઞાની થયા થકા કર્મને કરે છે; એ રીતે ભાવકર્મનો કર્તા અજ્ઞાનથી ચેતન જ થાય છે.” -આવા અર્થનું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ-
શ્લોકાર્થઃ– (આચાર્યદેવ ખેદપૂર્વક કહે છે કેઃ) [बत] અરેરે! [ये तु