Pravachan Ratnakar (Gujarati). Gatha: 328-331.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3230 of 4199

 

ગાથા ૩૨૮ થી ૩૩૧
मिच्छत्तं जदि पयडी मिच्छादिट्ठी करेदि अप्पाणं।
तम्हा अचेदणा ते पयडी णणु कारगो पत्तो।। ३२८।।
अहवा एसो जीवो पोग्गलदव्वस्स कुणदि मिच्छत्तं।
तम्हा पोग्गलदव्वं मिच्छादिट्ठी ण पुण जीवो।। ३२९।।
अह जीवो पयडी तह पोग्गलदव्वं कुणंति मिच्छत्तं।
तम्हा दोहिं कदं तं दोण्णि वि भुंजंति तस्स फलं।। ३३०।।
अह ण पयडी ण जीवो पोग्गलदव्वं करेदि मिच्छत्तं।
तम्हा पोग्गलदव्वं मिच्छत्तं तं तु ण हु मिच्छा।। ३३१।।
मिथ्यात्वं यद प्रकृतिर्मिथ्याद्रष्टिं करोत्यात्मानम्।
तस्मादचेतना ते प्रकृतिर्ननु कारका प्राप्ता।। ३२८।।

હવે, ‘(જીવને) જે મિથ્યાત્વભાવ થાય છે તેના કર્તા કોણ છે?’ -એ વાતને બરાબર ચર્ચીને, ‘ભાવકર્મનો કર્તા (અજ્ઞાની) જીવ જ છે’ એમ યુક્તિથી સિદ્ધ કરે છેઃ-

જો પ્રકૃતિ મિથ્યાત્વની મિથ્યાત્વી કરતી આત્મને,
તો તો અચેતન પ્રકૃતિ કારક બને તુજ મત વિષે! ૩૨૮.
અથવા કરે જો જીવ પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વને,
તો તો ઠરે મિથ્યાત્વી પુદ્ગલદ્રવ્ય, આત્મા નવ ઠરે! ૩૨૯.
જો જીવ અને પ્રકૃતિ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને,
તો ઉભયકૃત જે હોય તેનું ફળ ઉભય પણ ભોગવે! ૩૩૦.
જો નહિ પ્રકૃતિ, નહિ જીવ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને,
પુદ્ગલદરવ મિથ્યાત્વ વણકૃત! –એ શું નહિ મિથ્યા ખરે? ૩૩૧.