૨૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
कर्तात्मैष कथञ्चिदित्यचलिता कैश्चिच्छ्रुतिः कोपिता।
तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्धये
स्याद्वादप्रतिबन्धलब्धविजया वस्तुस्थितिः स्तूयते।। २०४।।
કૃતિ (-એકલી પ્રકૃતિનું કાર્ય-) પણ નથી, [अचित्त्वलसनात्] કારણ કે પ્રકૃતિને તો અચેતનપણું પ્રકાશે છે (અર્થાત્ પ્રકૃતિ તો અચેતન છે અને ભાવકર્મ ચેતન છે). [ततः] માટે [अस्य कर्ता जीवः] તે ભાવકર્મનો કર્તા જીવ જ છે [च] અને [चिद्–अनुगं] ચેતનને અનુસરનારું અર્થાત્ ચેતન સાથે અન્વયરૂપ (-ચેતનના પરિણામરૂપ-) એવું [तत्] તે ભાવકર્મ [जीवस्य एव कर्म] જીવનું જ કર્મ છે, [यत्] કારણ કે [पुद्गलः ज्ञाता न] પુદ્ગલ તો જ્ઞાતા નથી (તેથી તે ભાવકર્મ પુદ્ગલનું કર્મ હોઈ શકે નહિ).
હવેની ગાથાઓમાં જેઓ ભાવકર્મનો કર્તા પણ કર્મને જ માને છે તેમને સમજાવવાને સ્યાદ્વાદ અનુસાર વસ્તુસ્થિતિ કહેશે; તેની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ-
શ્લોકાર્થઃ– [कैश्चित् हतकैः] કોઈ આત્માના ઘાતક (સર્વથા એકાંતવાદીઓ) [कर्म एव कर्तृ प्रवितर्क्य] કર્મને જ કર્તા વિચારીને [आत्मनः कर्तृतां क्षिप्त्वा] આત્માના કર્તાપણાને ઉડાડીને, ‘[एषः आत्मा कथञ्चित् कर्ता] આ આત્મા કથંચિત્ કર્તા છે’ [इति अचलिता श्रुतिः कोपिता] એમ કહેનારી અચલિત શ્રુતિને કોપિત કરે છે (-નિર્બાધ જિનવાણીની વિરાધના કરે છે); [उद्धत–मोह–मुद्रित–धियां तेषाम् बोधस्य संशुद्धये] તીવ્ર મોહથી જેમની બુદ્ધિ બિડાઈ ગઈ છે એવા તે આત્મઘાતકોના જ્ઞાનની સંશુદ્ધિ અર્થે [वस्तुस्थितिः स्तूयते] (નીચેની ગાથાઓમાં) વસ્તુસ્થિતિ કહેવામાં આવે છે- [स्याद्वाद–प्रतिबन्ध–लब्ध–विजया] કે જે વસ્તુસ્થિતિએ સ્યાદ્વાદના પ્રતિબંધ વડે વિજય મેળવ્યો છે (અર્થાત્ જે વસ્તુસ્થિતિ સ્યાદ્વાદરૂપ નિયમથી નિર્બાધપણે સિદ્ધ થાય છે).
ભાવાર્થઃ– કોઈ એકાંતવાદીઓ સર્વથા એકાંતથી કર્મનો કર્તા કર્મને જ કહે છે અને આત્માને અકર્તા જ કહે છે; તેઓ આત્માના ઘાતક છે. તેમના પર જિનવાણીનો કોપ છે, કારણ કે સ્યાદ્વાદથી વસ્તુસ્થિતિને નિર્બાધ રીતે સિદ્ધ કરનારી જિનવાણી તો આત્માને કથંચિત્ કર્તા કહે છે. આત્માને અકર્તા જ કહેનારા એકાન્ત-