૨૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
एष मिथ्यास्वभावः तवैतज्जानतः।।३४१।।
आत्मा नित्योऽसङ्खयेयप्रदेशो दर्शितस्तु समये।
नापि स शक्यते ततो हीनोऽधिकश्च कर्तु यत्।।३४२।।
जीवस्य जीवरूपं विस्तरतो जानीहि लोकमात्रं खलु।
ततः स किं हीनोऽधिको वा कथं करोति द्रव्यम्।।३४३।।
अथ ज्ञायकस्तु भावो ज्ञानस्वभावेन तिष्ठतीति मतम्।
तस्मान्नाप्यात्मात्मानं तु स्वयमात्मनः करोति।।३४४।।
આત્માને [करोति] કરે છે’ , [एतत जानतः तव] તો એવું જાણનારનો તારો [एषः मिथ्यास्वभावः] એ મિથ્યાસ્વભાવ છે (અર્થાત્ એમ જાણવું તે તારો મિથ્યાસ્વભાવ છે); [यद्] કારણ કે- [समये] સિદ્ધાંતમાં [आत्मा] આત્માને [नित्यः] નિત્ય, [असङ्खयेय–प्रदेशः] અસંખ્યાત-પ્રદેશી [दर्शितः तु] બતાવ્યો છે, [ततः] તેનાથી [सः] તેને [हीनः अधिकः च] હીન-અધિક [कर्तु न अपि शक्यते] કરી શકાતો નથી; [विस्तरतः] વળી વિસ્તારથી પણ [जीवस्य जीवरूपं] જીવનું જીવરૂપ [खलु] નિશ્ચયથી [लोकमात्रं जानीहि] લોકમાત્ર જાણ; [ततः] તેનાથી [किं सः हीनः अधिकः वा] શું તે હીન અથવા અધિક થાય છે? [द्रव्यम् कथं करोति] તો પછી (આત્મા) દ્રવ્યને (અર્થાત્ દ્રવ્યરૂપ આત્માને) કઈ રીતે કરે છે?
तिष्ठति] જ્ઞાનસ્વભાવે સ્થિત રહે છે’ [इति मतम्] એમ માનવામાં આવે, [तस्मात् अपि] તો એમ પણ [आत्मा स्वयं] આત્મા પોતે [आत्मनः आत्मानं तु] પોતાના આત્માને [न करोति] કરતો નથી એમ ઠરે છે!
(આ રીતે કર્તાપણું સાધવા માટે વિવક્ષા પલટીને જે પક્ષ કહ્યો તે ઘટતો નથી.) (આ પ્રમાણે, કર્મનો કર્તા કર્મ જ માનવામાં આવે તો સ્યાદ્વાદ સાથે વિરોધ આવે છે; માટે આત્માને અજ્ઞાન-અવસ્થામાં કથંચિત્ પોતાના અજ્ઞાનભાવરૂપ કર્મનો કર્તા માનવો, જેથી સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.)
ટીકાઃ– (અહીં પૂર્વપક્ષ આ પ્રમાણે છેઃ) “કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ઉદય વિના તેની (-અજ્ઞાનની) અનુપપત્તિ છે; કર્મ જ (આત્માને) જ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ સુવાડે છે, કારણ કે નિદ્રા નામના કર્મના ઉદય