Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3329 of 4199

 

૩૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯

यथा शिल्पी तु कर्मफलं भुंक्ते न च स तु तन्मयो भवति।
तथा जीवः कर्मफलं भुंक्त न च तन्मयो भवति।।
३५२।।
एवं व्यवहारस्य तु वक्तव्यं दर्शनं समासेन।
शृणु निश्चयस्य वचनं परिणामकृतं तु यद्भवति।।
३५३।।
यथा शिल्पिकस्तु चेष्टां करोति भवति च तथानन्यस्तस्याः।
तथा जीवोऽपि च कर्म करोति भवति चानन्यस्तस्मात्।। ३५४।।
यथा चेष्टां कुर्वाणस्तु शिल्पिको नित्यदुःखितो भवति।
तस्माच्च स्यादनन्यस्तथा चेष्टमानो दुःखी जीवः।।
३५५।।

કર્મના ફળને (ખાનપાન આદિને) [भुंक्ते] ભોગવે છે [सः तु] પરંતુ તે [तन्मयः न च भवति] તન્મય (ખાનપાનાદિમય) થતો નથી, [तथा] તેમ [जीवः] જીવ [कर्मफलं] પુણ્યપાપાદિ પુદ્ગલકર્મના ફળને (પુદ્ગલપરિણામરૂપ સુખદુઃખાદિને) [भुंक्ते] ભોગવે છે [न च तन्मयः भवति] પરંતુ તન્મય (પુદ્ગલપરિણામરૂપ સુખદુઃખાદિમય) થતો નથી.

[एवं तु] એ રીતે તો [व्यवहारस्य दर्शनं] વ્યવહારનો મત [समासेन]

સંક્ષેપથી [वक्तव्यम्] કહેવાયોગ્ય છે. [निश्चयस्य वचनं] (હવે) નિશ્ચયનું વચન [शृण] સાંભળ [यत्] કે જે [परिणामकृतं तु भवति] પરિણામવિષયક છે.

[यथा] જેમ [शिल्पिकः तु] શિલ્પી [चेष्टां करोति] ચેષ્ટારૂપ કર્મને (પોતાના

પરિણામરૂપ કર્મને) કરે છે [तथा च] અને [तस्याः अनन्यः भवति] તેનાથી અનન્ય છે, [तथा] તેમ [जीवः अपि च] જીવ પણ [कर्म करोति] (પોતાના પરિણામરૂપ) કર્મને કરે છે [च] અને [तस्मात् अनन्यः भवति] તેનાથી અનન્ય છે. [यथा] જેમ [चेष्टां कुर्वाणः] ચેષ્ટારૂપ કર્મ કરતો [शिल्पिकः तु] શિલ્પી [नित्यदुःखितः भवति] નિત્ય દુઃખી થાય છે [तस्मात् च] અને તેનાથી (દુઃખથી) [अनन्यः स्यात्] અનન્ય છે, [तथा] તેમ [चेष्टमानः] ચેષ્ટા કરતો (પોતાના પરિણામરૂપ કર્મને કરતો) [जीवः] જીવ [दुःखी] દુઃખી થાય છે (અને દુઃખથી અનન્ય છે).

ટીકાઃ– જેવી રીતે-શિલ્પી અર્થાત્ સોની આદિ કારીગર કુંડળ આદિ જે

પરદ્રવ્યપરિણામાત્મક (-પરદ્રવ્યના પરિણામસ્વરૂપ) કર્મ તેને કરે છે, હથોડા આદિ જે પરદ્રવ્યપરિણામાત્મક કરણો તેમના વડે કરે છે, હથોડા આદિ જે પરદ્રવ્યપરિણામાત્મક કરણો તેમને ગ્રહણ કરે છે અને કુંડળ આદિ કર્મનું જે ગામ આદિ પરદ્રવ્યપરિણામા-