Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3348 of 4199

 

સમયસાર ગાથા ૩૪૯ થી ૩પપ ] [ ૩૨૯

હા, કહ્યા છે; પણ તે આ પ્રમાણે છે હોં;-
પોતાના ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભગવાનની દ્રષ્ટિ કરવાથી જે નિર્મળ પર્યાય

પ્રગટ થાય તે પર્યાયનું પોતાને દાન દેવું તે વાસ્તવિક દાન છે અને તે ધર્મ છે અને તેનો પોતે જ કર્તા છે.

પોતાનો શીલ નામ સ્વભાવ જે એક જ્ઞાયકભાવ તેમાં જ અંતરરમણતાં કરતાં જે નિર્મળ રત્નત્રય પ્રગટ થાય તે શીલ નામ ચારિત્ર છે અને તે જ ધર્મ છે.

અહાહા...! પોતે બ્રહ્મસ્વરૂપ ભગવાન આત્મા છે તેમાં એકાગ્ર થઈ ચરવું-રમવું તે બ્રહ્મચર્ય છે અને તે યથાર્થમાં ધર્મ છે.

સચ્ચિદાનંદમય આત્મા પોતે-તેમાં લીન થઈ પ્રતાપવંત રહેવું તેનું નામ ઇચ્છાના અભાવરૂપ તપ છે અને તે સત્યાર્થ ધર્મ છે. ભાઈ! આવું ધર્મનું સ્વરૂપ છે. ધર્મી પુરુષને બહારમાં સાથે સાથે દાન, શીલ, તપ, બ્રહ્મચર્યનો રાગ થતો હોય છે, તેને સહકારી જાણી ઉપચારથી એને ધર્મ કહીએ છીએ; પરંતુ એવો રાગ નિશ્ચયથી ધર્મ છે, વા તે કરતાં કરતાં ધર્મ થાય છે એવું ધર્મનું સત્યાર્થ સ્વરૂપ નથી. સમજાણું કાંઈ....?

અહીં કહે છે-વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે એ નિશ્ચય- સિદ્ધાંત છે; પરદ્રવ્યનું કર્તા પરદ્રવ્ય ત્રણકાળમાં નથી. પરદ્રવ્યનો કર્તા આત્મા ત્રણકાળમાં નથી. આ મૂળ વાત છે.

*

હવે આગળની ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૧૨ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘स्वयं स्फुटत्–अनंत–शक्तिः’ જેને પોતાને અનંત શક્તિ પ્રકાશમાન છે એવી વસ્તુ ‘बहिः यद्यपि लुठति’ અન્ય વસ્તુની બહાર જો કે લોટે છે ‘तथापि अन्य–वस्तु अपर वस्तुनः अन्तरम् न विशति’ તોપણ અન્ય વસ્તુ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી; ‘यतः सकलम् एव वस्तु स्वभावनियतम् इष्यते’ કારણ કે સમસ્ત વસ્તુઓ પોત- પોતાના સ્વભાવમાં નિશ્ચિત છે એમ માનવામાં આવે છે.

અહાહા....! શું કહે છે? કે દરેક આત્મા ને પરમાણુ-પરમાણુ અનંત શક્તિથી પ્રકાશમાન છે. ભાઈ! આ આત્માની જેમ છએ દ્રવ્યો-પ્રત્યેક અનંત શક્તિથી પ્રકાશમાન છે. અહાહા.....! આવી વસ્તુ, કહે છે, જો કે અન્ય વસ્તુની બહાર લોટે છે