Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3382 of 4199

 

સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩૬૩

ભાઈ! સમકિત વિના તારાં સઘળાં વ્રત, તપ જૂઠાં છે; ભગવાને એને બાળવ્રત ને બાળતપ કહ્યાં છે. ભાઈ! વ્રત, તપ આદિમાં અને ભેદ-વ્યવહારમાં તું રોકાઈ રહે એથી તને કાંઈ લાભ નથી.

આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ- ૧. આત્મા પરદ્રવ્યને દેખે છે અથવા શ્રદ્ધે છે -એ વ્યવહાર કથન છે; ૨. આત્મા પોતાને દેખે છે અથવા શ્રદ્ધે છે -એમ કહેવામાં પણ સ્વ-સ્વામીઅંશરૂપ

વ્યવહાર છે;

૩. દર્શક દર્શક જ છે -એ નિશ્ચય છે. પોતે અભેદ એકરૂપી દ્રષ્ટાસ્વભાવી ભગવાન છે તેની દ્રષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ સિવાય પર-નિમિત્તથી, રાગથી કે ભેદ-વ્યવહારથી કાંઈ સાધ્ય નથી. આવી વાત! હવે કહે છે-

‘વળી (જેવી રીતે જ્ઞાયક તથા દર્શક વિષે દ્રષ્ટાંત-દાર્ષ્ટાંતથી કહ્યું) એવી જ રીતે અપોહક (ત્યાજક, ત્યાગ કરનાર) વિષે કહેવામાં આવે છેઃ-

આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું શ્વેત્ય છે (અર્થાત્ ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે). હવે, શ્વેત કરનારી ખડી, શ્વેત કરાવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે કે નથી? -એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ- જો ખડી ભીંત-આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ

જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે; -આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત- આદિ જ હોય (અર્થાત્ ખડી ભીંત-આદિસ્વરૂપ જ હોવી જોઈએ); એમ હોતાં, ખડીનાં સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત- આદિની નથી.’ હવે કહે છેઃ-

(આગળ વિચારીએઃ) ‘જો ખડી ભીંત-આદિની નથી તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી એવી કઈ ખડી છે કે જેની (આ) ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે-એ નિશ્ચય છે.’ હવે કહે છેઃ-