Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3386 of 4199

 

સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩૬૭ અંશો જ છે. ચેતયિતા પોતે પોતાનું સ્વ અને ચેતયિતા પોતે તેનો સ્વામી -એમ બે અંશો છે.

અહા! પણ ‘આત્મા આત્માનો છે’ -એવા સ્વસ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સિદ્ધિ છે? શું લાભ છે? કાંઈ જ નહિ; બલ્કે એવા વ્યવહારમાં રોકાઈ રહેનારને આત્મલાભ થતો નથી, સમ્યગ્દર્શન થતું નથી. બાપુ! અત્યારે આ સમજવા જેવું છે, બાકી બધું તો ધૂળધાણી ને વા-પાણી છે. આ શરીર તો ક્યાંય ફૂ થઈને ઉડી જશે, સંજોગ બધા પલટાઈ જશે, બધું ફરી જશે, અને આ ભેદ-વિકલ્પ પણ તને શરણ નહિ થાય ભગવાન? અહીં કહે છે-ભેદ-વિકલ્પથી કાંઈ સિદ્ધિ નથી. આત્મા આત્મામાં કેલિ-રમણ કરનારો છે એવા ભેદ-વિકલ્પથી પણ કાંઈ સાધ્ય નથી. અહાહા.....! વીતરાગભાવસ્વરૂપ આત્મા વીતરાગભાવમાં રમે એવો ભેદ-વિકલ્પ પણ વ્યવહાર છે અને એમાં તું અટકી રહે તે કાંઈ કાર્યકારી નથી. સમજાણું કાંઈ....!

અહાહા....! પરને-રાગને જાણવામાં રોકાઈ રહે ત્યાં તો સ્વનું જાણવું રોકાઈ જાય છે, સ્વને જાણવાથી ભ્રષ્ટ થઈ જાય છે. બાપુ! સ્વસ્વરૂપનું જ્ઞાન થયા વિના પરને જાણવું એ વ્યવહાર છે-એમ ક્યાં છે? એ તો આત્મજ્ઞાની ધર્મી પુરુષને પરનું જાણવું તે વ્યવહારથી છે. અહીં કહે છે-એ વ્યવહારથી કાંઈ સાધ્ય નથી.

સં. ૮૩ ની સાલમાં પ્રશ્ન ઉઠયો હતો-કે આ લોકાલોક છે માટે કેવળજ્ઞાનની પર્યાય છે ને? ત્યારે કહ્યું હતું -

અરે ભાઈ! કેવળજ્ઞાનની પર્યાય તો પોતાની પોતાથી છે. પોતે જ્ઞાનસ્વરૂપ છે કે નહિ? તો કેવળજ્ઞાન થયું એ તો પોતાનું-જ્ઞાનનું પરિણમન છે, લોકાલોક છે માટે કેવળજ્ઞાન થયું છે એમ નથી. જો લોકાલોકને કારણે કેવળજ્ઞાન હોય તો કેવળજ્ઞાન સદાય પ્રગટ હોવું જોઈએ, કેમકે લોકાલોક સદાય વિદ્યમાન છે; પણ એમ છે નહિ. લોકાલોકની અસ્તિ હો (છે), પરંતુ કેવળજ્ઞાનને તેની અપેક્ષા નથી. કેવળજ્ઞાન નિજ સત્તાવલંબી છે, પરને કારણે નથી. સમજાણું કાંઈ....?

આ તો મારગડા જુદા નાથ! રાગને જાણવો ને રાગનો ત્યાગ કરવો એ સ્વરૂપની સ્થિતિ નથી. રાગને જાણવો ને રાગનો ત્યાગ કરવો એ જવા દે બાપુ! અહીં તો કહે છે- જાણનારનો જાણનાર છે એવા સ્વ-સ્વામીરૂપ ભેદ-વ્યવહારથી કાંઈ સાધ્ય નથી. આવી વાત!

તો શું છે? તો કહે છે-અપોહક અપોહક જ છે-એ નિશ્ચય છે. બસ રાગના અભાવસ્વભાવરૂપ જ ભગવાન આત્મા છે. આવા નિજ સ્વરૂપમાં ઠરીઠામ રહેવું બસ એ જ ચારિત્ર છે. બાકી રાગનો ત્યાગ કરવો એમ કહીએ એ તો કથનમાત્ર