Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3390 of 4199

 

સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩૭૧ મીઠાશ મિટાવી દીધી છે. અરે ભગવાન! અહીં ત્રિલોકીનાથ ભગવાન કેવળીની વાણીમાં શું કીધું છે તે જરા સાંભળ!

અહાહા...! કહે છે-જ્ઞાનસ્વરૂપે પરિણમતો ભગવાન આત્મા વ્યવહારરત્નત્રયના અને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાના રાગરૂપે થતો નથી. આત્માના દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ ચેતનાગુણથી ભરેલા છે. તેની જ્ઞાનની પર્યાય જ્ઞાતાદ્રષ્ટાપણે પરિણમે ત્યાં તે પરિણમન રાગને પોતારૂપ કરતું નથી, તેમ તે જ્ઞાનનું પરિણમન રાગરૂપે થતું નથી.

રાગને અહીં પુદ્ગલસ્વભાવ કહ્યો છે કેમકે તેમાં ચૈતન્યનો અંશ નથી, રાગની ચૈતન્યની જાતિ નથી; વળી તે પુદ્ગલના સંગમાં પ્રગટ થાય છે. માટે રાગને અજીવ પુદ્ગલસ્વભાવ કહ્યો છે.

ત્યારે કેટલાકને વાંધા છે; એમ કે વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય છે.

હા, પણ કોને? જેને અંતરંગમાં નિશ્ચય સાધન પ્રગટ થયું છે તેને જે રાગાદિ વ્યવહાર છે તેને વ્યવહારથી સાધન કહેવામાં આવે છે. ધર્મી પુરુષના બાહ્ય વ્યવહારને સાધન કહીએ તે ઉપચારમાત્રથી છે, વાસ્તવિક નહિ. ભાઈ! વસ્તુસ્થિતિ શું છે તે બરાબર સમજવું જોઈએ. (અજ્ઞાનીની બાહ્ય ક્રિયામાં તો સાધનનો ઉપચાર પણ સંભવિત નથી) .

ભાઈ! આ તારા હિતની વાત છે કે જ્ઞાન રાગરૂપે પરિણમે નહિ અને રાગને પોતારૂપે-જ્ઞાનરૂપે પરિણમાવે નહિ.

ભાઈ! આ રૂપાળું શરીર, પૈસા, આબરૂ, મકાન-બંગલા ઇત્યાદિ બધા બહારના ઠાઠ છે. તું એમાં ગુંથાઈ-ગુંચાઈ રહ્યો છો પણ એ તો મસાણના હાડકાના ફોસ્ફરસની ચમક જેવા છે, દેખાય ને વિલય પામી જાય. અહા! એ બધી ચીજ તારામાં ક્યાં છે પ્રભુ? ત્યાંથી ખસી જા, અને અંતર્દ્રષ્ટિ કર. ઓહો! અતીન્દ્રિય આનંદરૂપ અમૃતનો સાગર પ્રભુ અંદર શાશ્વત ડોલી રહ્યો છે. તેના સ્વરૂપના લક્ષે અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનની પરિણતિ પ્રગટે છે. અહા! તે જ્ઞાનની પરિણતિ, અહીં કહે છે, રાગને પોતાપણે કરતી નથી, અને તે પરિણતિ રાગરૂપ થતી નથી. અહો! આચાર્યદેવે મહા અલૌકિક વાત કરી છે.

ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવથી ભરેલો પ્રભુ છે. તે જ્ઞાનરૂપે થાય તે તો વસ્તુની સ્થિતિ છે, પણ તે રાગરૂપે થાય એ વસ્તુની સ્થિતિ નથી. તો શું છે? તેના જ્ઞાનના પરિણમનના કાળે જે રાગાદિ પરદ્રવ્ય છે તે જ્ઞાનના પરિણમનમાં નિમિત્ત છે. શું કીધું? પરદ્રવ્યને જાણવાના કાળે જ્ઞાનની પરિણતિમાં પરદ્રવ્ય-શરીરાદિ, રાગાદિ,