Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 341 of 4199

 

૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ લક્ષે-સ્વભાવ તરફના પુરુષાર્થથી રાગથી ભેદ કરી ભેદજ્ઞાનવડે અવિચળ અનુભૂતિને પામે છે-ते एव તે જ પુરુષો मुकुरवत દર્પણની જેમ प्रतिफलननिमग्नानंतभावस्वभावैः પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવોથી संततं નિરંતર अविकाराः स्युः વિકાર રહિત હોય છે.

શું કહે છે એ? કે અનુભૂતિની-જ્ઞાનની જે પર્યાય થઈ એ પર્યાયમાં પોતામાં પ્રતિબિંબિત થયેલા એ (અનંત ભાવોના-જ્ઞેયોના સ્વભાવ) જાણવામાં આવ્યા; શરીરની પર્યાય, વાણીની પર્યાય રાગની પર્યાય-એમ બધા અનંત ભાવો જ્ઞાનની પર્યાયમાં પોતપોતાના કારણે જાણવામાં આવ્યા, એ જ્ઞેયોનું જ્ઞાન થયું પણ જ્ઞેયો સંબંધી વિકાર થયો એમ નથી. એ જ્ઞેયોનું જ્ઞાન નિર્વિકારી છે. જ્ઞાનમાં જે જ્ઞેયોના આકાર પ્રતિભાસે છે તેમનાથી (ભેદવિજ્ઞાની પુરુષો) રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. એ જ્ઞાનની પર્યાયનું પોતાનું સહજ સામર્થ્ય છે. તેથી સ્વને અને પરને પોતાના અસ્તિત્વમાં જાણે છે. તેથી એમાં રાગને જાણે, શરીરને જાણે માટે એ પરજ્ઞેયના કારણે અહીં (જ્ઞાનમાં) વિકાર થાય-એમ નથી. અનંત જ્ઞેયોના સ્વભાવને જાણે છતાં નિરંતર તેઓ વિકાર રહિત છે.

[પ્રવચન નં.ઃ ૬૧-૬૨ * દિનાંકઃ ૩૦-૧-૭૬ અને ૩૧-૧-૭૬]