૪૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
तस्मात्सम्पग्द्रष्टेर्नास्ति रागस्तु विषयेषु।। ३७०।।
रागो द्वेषो मोहो जीवस्यैव चानन्यपरिणामाः।
एतेन कारणेन तु शब्दादिषु न सन्ति रागादयः।। ३७१।।
[घातः भणितः] ઘાત કહ્યો છે, [तत्र] ત્યાં [पुद्गलद्रव्यस्य] પુદ્ગલદ્રવ્યનો [घातः तु] ઘાત [कः अपि] જરા પણ [न अपि निर्दिष्टः] કહ્યો નથી. (દર્શન-જ્ઞાન-ચારિત્ર હણાતાં પુદ્ગલદ્રવ્ય હણાતું નથી.)
खलु] તે ખરેખર [परेषु द्रव्येषु] પર દ્રવ્યોમાં [न सन्ति] નથી; [तस्मात्] તેથી [सम्यग्द्रष्टेः] સમ્યગ્દ્રષ્ટિને [विषयेषु] વિષયો પ્રત્યે [रागः तु] રાગ [न अस्ति] નથી.
[अनन्यपरिणामाः] અનન્ય (એકરૂપ) પરિણામ છે, [एतेन कारणेन तु] તે કારણે [रागादयः] રાગાદિક [शब्दादिषु] શબ્દાદિ વિષયોમાં (પણ) [न सन्ति] નથી.
(રાગદ્વેષાદિ સમ્યગ્દ્રષ્ટિ આત્મામાં નથી તેમ જ જડ વિષયોમાં નથી, માત્ર અજ્ઞાનદશામાં રહેલા જીવના પરિણામ છે.)
ટીકાઃ– ખરેખર જે જેમાં હોય તે તેનો ઘાત થતાં હણાય જ છે (અર્થાત્ આધારનો ઘાત થતાં આધેયનો ઘાત થાય જ છે), જેમ દીવાનો ઘાત થતાં (દીવામાં રહેલો) પ્રકાશ હણાય છે; તથા જેમાં જે હોય તે તેનો ઘાત થતાં હણાય જ છે (અર્થાત્ આધેયનો ઘાત થતાં આધારનો ઘાત થાય જ છે), જેમ પ્રકાશનો ઘાત થતાં દીવો હણાય છે. વળી જે જેમાં ન હોય તે તેનો ઘાત થતાં હણાતું નથી, જેમ ઘટનો ઘાત થતાં *ઘટ-પ્રદીપ હણાતો નથી; તથા જેમાં જે ન હોય તે તેનો ઘાત થતાં હણાતું નથી, જેમ ઘટ-પ્રદીપનો ઘાત થતાં ઘટ હણાતો નથી. (એ પ્રમાણે ન્યાય કહ્યો.) હવે, આત્માના ધર્મો-દર્શન, જ્ઞાન અને ચારિત્ર-પુદ્ગલદ્રવ્યનો ઘાત થવા છતાં હણાતા નથી અને દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થવા છતાં પુદ્ગલદ્રવ્ય હણાતું નથી (એ તો સ્પષ્ટ છે); માટે એ રીતે ‘દર્શન-જ્ઞાન-ચારિત્ર પુદ્ગલદ્રવ્યમાં નથી’ એમ ફલિત (સિદ્ધ) થાય છે; કારણ કે, જો એમ ન હોય તો દર્શન- જ્ઞાન-ચારિત્રનો ઘાત _________________________________________________________________ * ઘટ-પ્રદીપ = ઘડામાં મૂકેલો દીવો. (પરમાર્થે દીવો ઘડામાં નથી, ઘડામાં તો ઘડાના જ ગુણો છે.)