तस्मान्निवर्तते यः प्रत्याख्यानं भवति चेतयिता।। ३८४।।
यच्छुभमशुभमुदीर्ण सम्प्रति चानेकविस्तरविशेषम् ।
तं दोषं यः चेतयते स खल्वालोचनं चेतयिता।। ३८५।।
नित्यं प्रत्याख्यानं करोति नित्यं प्रतिक्रामति यश्च
પ્રકારના વિસ્તારવાળું [शुभाशुभम् कर्म] (જ્ઞાનાવરણીયાદિ) શુભાશુભ કર્મ [तस्मात्] તેનાથી [यः] જે આત્મા [आत्मानं तु] પોતાને [निवर्तयति] *નિવર્તાવે છે, [सः] તે આત્મા [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ છે.
[यस्मिन् भावे च] તે જે ભાવમાં [बध्यते] બંધાય છે [तस्मात्] તે ભાવથી [यः] જે આત્મા [निवर्तते] નિવર્તે છે, [सः चेतयिता] તે આત્મા [प्रत्याख्यानं भवति] પ્રત્યાખ્યાન છે.
[अनेकविस्तरविशेषम्] અનેક પ્રકારના વિસ્તારવાળું [शुभम् अशुभम्] શુભ-અશુભ કર્મ [तं दोषं] તે દોષને [यः] જે આત્મા [चेतयते] ચેતે છે-અનુભવે છે-જ્ઞાતાભાવે જાણી લે છે (અર્થાત્ તેનું સ્વામિત્વ-કર્તાપણું છોડે છે), [सः चेतयिता] તે આત્મા [खलु] ખરેખર [आलोचनम्] આલોચના છે.
प्रतिक्रामति च] સદા પ્રતિક્રમણ કરે છે અને [नित्यम् आलोचयति] સદા આલોચના કરે છે, [सः चेतयिता] તે આત્મા [खलु] ખરેખર [चरित्रं भवति] ચારિત્ર છે.
ટીકાઃ– જે આત્મા પુદ્ગલકર્મના વિપાકથી (ઉદયથી) થતા ભાવોથી પોતાને નિવર્તાવે છે, તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વકર્મને (ભૂતકાળના કર્મને પ્રતિક્રમતો થકો પોતે જ પ્રતિક્રમણ છે; તે જ આત્મા, તે ભાવોના કાર્યભૂત ઉત્તરકર્મને (ભવિષ્યકાળના કર્મને) પચખતો થકો, પ્રત્યાખ્યાન છે; તે જ આત્મા, વર્તમાન કર્મવિપાકને _________________________________________________________________ * નિવર્તાવવું = પાછા વાળવું; અટકાવવું; દૂર રાખવું.