त्रैकालिकं शुद्धनयावलम्बी ।
श्चिन्मात्रमात्मानमथावलम्बे ।। २२९।।
सञ्चेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम्।। २३०।।
[त्रैकालिकं समस्तम् कर्म] ત્રણે કાળનાં સમસ્ત કર્મોને [अपास्य] દૂર કરીને-છોડીને, [शुद्धनय–अवलम्बी] શુદ્ધનયાવલંબી (અર્થાત્ શુદ્ધનયને અવલંબનાર) અને [विलीन– मोहः] વિલીનમોહ (અર્થાત્ જેનું મિથ્યાત્વ નષ્ટ થયું છે) એવો હું [अथ] હવે [विकारैः रहितं चिन्मात्रम् आत्मानम्] (સર્વ) વિકારોથી રહિત ચૈતન્યમાત્ર આત્માને [अवलम्बे] અવલંબું છું. ૨૨૯.
(ત્યાં પ્રથમ, તે કથનના સમુચ્ચય-અર્થનું કાવ્ય કહે છેઃ-)
શ્લોકાર્થઃ– (સમસ્ત કર્મફળની સંન્યાસભાવના કરનાર કહે છે કે-)
तरु–फलानि] કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ [मम भुक्तिम् अन्तरेण एव] મારા ભોગવ્યા વિના જ [विगलन्तु] ખરી જાઓ; [अहम् चैतन्य–आत्मानम् आत्मानम् अचलं सञ्चेतये] હું (મારા) ચૈતન્યસ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું છું-અનુભવું છું.
ભાવાર્થઃ– જ્ઞાની કહે છે કે-જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું જ્ઞાતા-દ્રષ્ટાપણે જાણું-દેખું છું, તેનો ભોક્તા થતો નથી, માટે મારા ભોગવ્યા વિના જ તે કર્મ ખરી જાઓ; હું મારા ચૈતન્યસ્વરૂપ આત્મામાં લીન થયો થકો તેનો દેખનાર-જાણનાર જ હોઉં.
અહીં એટલું વિશેષ જાણવું કે-અવિરત, દેશવિરત તથા પ્રમત્તસંયત દશામાં તો આવું જ્ઞાન-શ્રદ્ધાન જ પ્રધાન છે, અને જ્યારે જીવ અપ્રમત્ત દશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ અનુભવ સાક્ષાત્ હોય છે. ૨૩૦.
(હવે ટીકામાં સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ-)