Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3596 of 4199

 

સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ઃ ૧૪પ

જુઓ, કોઈ કોઈ મુનિરાજને આહારક પ્રકૃતિ હોય છે, મુનિને બધાને હોય એવું નહિ. પ્રકૃતિ બંધાઈ ગઈ હોય તો, મુનિરાજ કહે છે, તેના ફળને હું ભોગવતો નથી. મુનિને કોઈ શંકા ઉઠે, તો આહારક શરીર બનાવે અને જ્યાં કેવળી ભગવાન બિરાજતા હોય ત્યાં જઈને શંકાનું સમાધાન કરે. તો મુનિરાજ કહે છે એ આહારક પ્રકૃતિના ફળને હું ભોગવતો નથી; એનું મને લક્ષ નથી, હું તો એક ભગવાન આત્માને જ સંચેતું છું. મુનિરાજને આહારક શરીરની પ્રકૃતિનું વલણ હોતું નથી, આવી વાત! સમજાણું કાંઈ....?

‘હું તૈજસશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬૧.

‘હું કાર્મણશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬૨.

‘હું ઔદારિકશરીરઅંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬૩.

‘હું વૈક્રિયિકશરીરઅંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬૪.

‘હું આહારકશરીરઅંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬પ.

‘હું ઔદારિકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬૬.

‘હું વૈક્રિયકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬૭.

‘હું આહારકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬૮.

‘હું તૈજસશરીર-બંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬૯.

‘હું કાર્મણશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭૦.

‘હું ઔદારિકશરીર-સંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭૧.