૧૪૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
‘હું વૈક્રિયિકશરીર-સંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭૨.
‘હું આહારકશરીર-સંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭૩.
‘હું તૈજસશરીર-સંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭૪.
‘હું કાર્મણશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭પ.
શરીરની આકૃતિના છ પ્રકાર છે. તેના છ ભેદનું વર્ણન કરે છેઃ- ‘હું સમચતુરસ્રસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭૬.
‘હું ન્યગ્રોધપરિમંડલસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭૭.
‘હું સાતિકસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭૮.
‘હું કુબ્જકસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭૯.
‘હું વામનસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૦.
‘હું હુંડકસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૧.
અહા! છ પ્રકારના આ જે સંસ્થાન નામકર્મની પ્રકૃતિ છે તેનો ઉદય આવે છે, પણ તે તરફ મારું લક્ષ નથી, સંસ્થાન પ્રતિ મારું જોર નથી. મને તો અંદર ભગવાન આત્મા પ્રતિ વલણ થયું છે. તેના પડખે હું ચઢયો છું; તેને જ હું અનુભવું છું.
હવે હાડકાંની મજબુતાઈના છ પ્રકારના સંહનનનું કથન કરે છેઃ- ‘હું વજ્રર્ષભનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૨.
‘હું વજ્રનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૩.