૧૯૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ ‘અસ્તિરૂપ’ એ જ્ઞાનનો પોતાનો સ્વભાવ છે. એમ પ્રત્યેક ગુણ માટે સમજવું. ભાઈ! આ તો સર્વજ્ઞના પેટની વાત; બાપુ! ધીરે ધીરે સમજવી.
અહીં કહે છે-આત્માના (સંસારીના) કોઈ ગુણ (શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, વીર્ય, સુખ આદિ) અનાદિથી અશુદ્ધ પરિણમી રહ્યા છે. અશુદ્ધતા તે, તે તે સમયની એની યોગ્યતા છે. આ અશુદ્ધતા અનાદિ-સાંત છે. હવે આ કાળની જીવમાં થયેલ જે અશુદ્ધતા તે માનો જ નહિ તો, કહે છે, અનાદિ-અનંત ગુણની જ સિદ્ધિ નહિ થાય, અને તો દ્રવ્ય નામ આત્મા પણ સિદ્ધ નહિ થાય. માટે અહીં કહે છે-જ્ઞાન જ ધર્મ-અધર્મ છે. સમજાણું કાંઈ...? ખૂબ ગંભીર વાત ભાઈ!
કેવળજ્ઞાનની પર્યાય દ્રવ્યને અડતી નથી, લ્યો, અવ્યક્તના બોલમાં આ આવે છે. વળી પ્રવચનસારમાં અલિંગગ્રહણના છેલ્લા બોલોમાં આવે છે કે-દ્રવ્ય છે તે ગુણવિશેષને આલિંગન કરતું નથી; અભેદ વસ્તુ છે તે ભેદને આલિંગન કરતી નથી; દ્રવ્ય છે તે પર્યાયવિશેષને આલિંગન કરતું નથી; ઈત્યાદિ. ભાઈ! ત્યાં તો પ્રયોજનવશ પર્યાયનું અસ્તિત્વ અને દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન સિદ્ધ કરવું છે. દ્રવ્ય-પર્યાયમાં અંદર અંદર ભાગ પાડીને વાત કરે ત્યારે એમ કહે કે - દ્રવ્ય-સામાન્ય વિશેષમાં આવતું નથી, ને વિશેષ દ્રવ્ય-સામાન્યમાં આવતું નથી. પરંતુ પરની અપેક્ષાથી વાત કરે ત્યારે બેયનું (-દ્રવ્ય- પર્યાયનું) એક જ અસ્તિત્વ કહે. લ્યો, આવી વીતરાગમાર્ગની ખૂબ ગંભીર શૈલી છે.
સમયસારની ૭૩ મી ગાથામાં કહ્યું કે- વિકારનો સ્વામી પુદ્ગલ છે, વળી ત્યાં ૭પ-૭૬ ગાથામાં કહ્યું કે- અંતરંગમાં જે રાગદ્વેષના ભાવ થાય છે તે પુદ્ગલ છે. કર્મ- નોકર્મ જે બહિરંગ છે તે તો પુદ્ગલ છે જ, પણ અંદરમાં નિમિત્તના અવલંબને જે દયા, દાન આદિના ભાવ થાય તેય પુદ્ગલ છે. લ્યો, આવી વાત! એ તો રાગાદિ ભાવમાં ચૈતન્યસ્વભાવનો અભાવ છે તો તેમને જડ કહ્યા, અને જડનો સ્વામી જડ જ હોય માટે તેને પુદ્ગલ કહ્યા. સમજાણું કાંઈ...?
જ્યારે પ્રવચનસાર, નય-અધિકારમાં એમ વાત છે કે-શુદ્ધ અને અશુદ્ધ પરિણામનો અધિષ્ઠાતા આત્મા છે. વળી અહીં પણ એ જ કહ્યું કે- જ્ઞાન જ સમ્યગ્દ્રષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ છે. અહીં તો વર્તમાન વર્તતી પર્યાય કહેવી છે ને! ભાઈ! કયાં કઈ અપેક્ષાએ વાત છે તે બરાબર સમજવું જોઈએ. દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ પુણ્ય-પાપ આદિ વિકારનો સ્વામી પુદ્ગલ છે, જ્યારે પર્યાયથી જુએ તો પુણ્ય-પાપ આદિ વિકારનો તેની પર્યાયમાં સદ્ભાવ છે, તેથી પર્યાય અપેક્ષા આત્મા જ પુણ્ય-પાપ છે. જો વિકારી પર્યાયને કાઢી નાખો તો અનંતી વિકારી પર્યાયોનો અભાવ થતાં આખો ત્રિકાળ ગુણ સિદ્ધ નહિ થાય, અને તો શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ એવો આત્મા જ સિદ્ધ નહિ થાય. જે અશુદ્ધ પર્યાયો ગઈ તે ડૂબકી મારીને અંદર