સમયસાર ગાથા ૪૦પ થી૪૦૭ઃ ૨૨૭
કરતાં કલ્યાણ થઈ જાય. બાપુ! એ તો મિથ્યાત્વનું મોટું શલ્ય છે. તેને અહીં તો એમ કહેવું છે કે જીવ પોતાના સ્વરૂપને જાણે ત્યારે તેને દેહાદિ પદાર્થોનું ને રાગનું સાચું જ્ઞાન થાય છે. અહાહા...! જે સત્તામાં જાણવાનું કાર્ય થાય છે તેને જે જાણે તેને જ પરનું યથાર્થ જ્ઞાન થાય છે, અને તેને વ્યવહાર કહેવામાં આવે છે. તે જ્ઞાની પુરુષો દેહમય લિંગને- દ્રવ્યલિંગને મોક્ષનું કારણ જાણતા નથી; બાહ્ય લિંગ વડે પોતાનું કલ્યાણ થશે એમ માનતા નથી. લ્યો આવી વાત!
[પ્રવચન નં. ૪૯૬-૪૯૭*દિનાંક ૧૮-૧૧-૭૭ થી ૧૯-૧૧-૭૭]