दंसणणाणचरित्ताणि मोक्खमग्गं जिणा बेंति।। ४१०।।
दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग जिना ब्रुवन्ति।। ४१०।।
હવે એ જ સિદ્ધ કરે છે (અર્થાત્ દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ નથી, દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે-એમ સિદ્ધ કરે છે)ઃ-
ચારિત્ર–દર્શન–જ્ઞાનને બસ મોક્ષમાર્ગ જિનો કહે. ૪૧૦.
ગાથાર્થઃ– [पाषण्डिगृहिमयानि लिङ्गानि] મુનિનાં અને ગૃહસ્થનાં લિંગો [एषः] એ [मोक्षमार्गः न अपि] મોક્ષમાર્ગ નથી; [दर्शनज्ञानचारित्राणि] દર્શન-જ્ઞાન-ચારિત્રને [जिनाः] જિનદેવો [मोक्षमार्ग ब्रुवन्ति] મોક્ષમાર્ગ કહે છે.
ટીકાઃ– દ્રવ્યલિંગ ખરેખર મોક્ષમાર્ગ નથી, કારણ કે તે (દ્રવ્યલિંગ) શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કારણ કે તેઓ આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે.
ભાવાર્થઃ– મોક્ષ છે તે સર્વ કર્મના અભાવરૂપ આત્મપરિણામ (-આત્માના પરિણામ) છે, માટે તેનું કારણ પણ આત્માના પરિણામ જ હોવું જોઈએ. દર્શન-જ્ઞાન- ચારિત્ર આત્માના પરિણામ છે; માટે નિશ્ચયથી તે જ મોક્ષનો માર્ગ છે.
લિંગ છે તે દેહમય છે; દેહ છે તે પુદ્ગલદ્રવ્યમય છે; માટે આત્માને દેહ મોક્ષનો માર્ગ નથી. પરમાર્થે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય કાંઈ કરતું નથી એ નિયમ છે.
(અર્થાત્ જો દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી અને દર્શનજ્ઞાનચારિત્ર જ મોક્ષમાર્ગ છે) તો આમ (નીચે પ્રમાણે) કરવું-એમ હવે ઉપદેશ