Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3706 of 4199

 

સમયસાર ગાથા-૪૧૨ઃ ૨પપ

ને ચેતવાનું સ્થાન નથી. જ્ઞાન ને આનંદથી ભરેલું શુદ્ધ ચૈતન્યતત્ત્વ તે નિજપદ છે. તેનો અનુભવ કર, તે એક જ અનુભવવાયોગ્ય છે. આવી વાત!

હા, પણ અમારે તો આ કરવું કે બૈરાં-છોકરાંની જવાબદારીઓ નિભાવવી? અરે ભાઈ! તું બૈરા-છોકરાનું કરે છે જ શું? પરનું હું કાંઈ કરું છું, કુટુંબ પરિવારનું હું પાલન કરું છું એ માન્યતા જ મૂઢની છે. તું તો મફતનો રાગ-દ્વેષ કર્યા કરે છે, હરખ-શોક કર્યા કરે છે. તેથી કહે છે- ત્યાંથી વિરક્ત થઈ, નિજ ચૈતન્યપદમાં એકાગ્ર થઈ તેનો જ અનુભવ કર, કેમકે આ જ સુખનો પંથ છે, જન્મ-મરણ નિવારવાનો પંથ છે. સમજાણું કાંઈ...?

હવે ચોથો બોલઃ- ‘તથા દ્રવ્યના સ્વભાવના વશે (પોતાને) જે ક્ષણે ક્ષણે પરિણામો ઉપજે છે તે- પણા વડે (અર્થાત્ પરિણામીપણા વડે) તન્મય પરિણામવાળો (-દર્શનજ્ઞાનચારિત્રમય પરિણામવાળો) થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર;...’

જુઓ, દ્રવ્યના સ્વભાવના આશ્રયે ક્ષણે ક્ષણે દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ ઉપજે છે. દ્રવ્યના સ્વભાવના વશે જે પરિણામો ઉપજે છે તે નિર્મળ રત્નત્રયના પરિણામ હોય છે; પુણ્ય-પાપના પરિણામ શુદ્ધ દ્રવ્યના વશે ન થાય, એ તો પરના-નિમિત્તના વશે થનારા પરિણામ છે અને તે દુઃખરૂપ છે. અહીં તો દ્રવ્યને દ્રષ્ટિમાં લીધું છે તેથી દ્રવ્યનો સ્વભાવ નિર્મળ-નિર્મળ ભાવથી દ્રવે છે. અહાહા...! નિર્મળ રત્નત્રયની પરિણતિરૂપે દ્રવે છે. અહીં કહે છે-તે પણા વડે નિર્મળ-નિર્મળ દ્રવવા વડે તન્મય પરિણામવાળો થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર. પુણ્ય-પાપના ભાવમાં-દુઃખના ભાવમાં તો અનંતકાળથી વિહાર કરતો રહ્યો, હવે અર્થાત્ આ અવસર છે ત્યારે તેમાં મા વિહર, અંદર પૂર્ણાનંદનો નાથ નિર્મળાનંદ પ્રભુ આત્મા છે તેના આશ્રયે જે ક્ષણે ક્ષણે નિર્મળ-નિર્મળ દર્શન-જ્ઞાન- ચારિત્રના પરિણામ થાય તેમાં જ વિહર, ત્યાં જ વિહર. સ્વર્ગ અને નર્ક આદિ ચારે ગતિ દુઃખરૂપ જ છે, માટે પુણ્ય અને પાપમાં મા વિહર. એક દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર. ‘ंतत्थेव विहर णिच्चं’ ‘તેમાં જ નિત્ય વિહાર કર’ છે ને ગાથામાં? આ એનો અર્થ થયો.

હવે આવું સમજવાની આ વાણિયાઓને બિચારાઓને ફુરસદ ન મળે; જિજ્ઞાસા નહિ, તત્ત્વાભિલાષ નહિ એટલે આડોડાઈ કરે ને કહેઃ હમણાં નહિ, જો’શું પછી; શું જો’શું પછી? આ ભરવાડ નથી હોતા ભરવાડ; એક’ દિ જોયો હતો બકરાં ચારતો; પચીસ જેટલાં બકરાં ને સાથે પંદર-વીસ નાનાં નાનાં બકરાનાં બચ્ચાં. તો વિચાર આવે છે કે આ વાણિયા બધા મરીને આ બચ્ચાં નહિ થયા હોય? શું થાય ભાઈ? આવી આડોડાઈનુ ફળ આવી તિર્યંચ ગતિ છે બકરીની, ગાયની, ભૂંડણની કૂખે અવતાર