रयमिह परमार्थश्चेत्यतां नित्यमेकः।
स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रा–
न्न खलु समयसारादुत्तरं किञ्चिदस्ति।। २४४।।
विज्ञानघनमानन्दमयमध्यक्षतां नयत्।। २४५।।
પરમાર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે (તેથી તેઓ જ મોક્ષને પામે છે).
‘બહુ કથનથી બસ થાઓ, એક પરમાર્થનો જ અનુભવ કરો’ -એવા અર્થનું કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [अतिजल्पैः अनल्पैः दुर्विकल्पैः अलम् अलम्] બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ; બસ થાઓ; [इह] અહીં એટલું જ કહેવાનું છે કે [अयम् परमार्थः एकः नित्यम् चेत्यताम्] આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો; [स्व–रस– विसर–पूर्ण–ज्ञान–विस्फूर्ति–मात्रात् समयसारात् उत्तरं खलु किञ्चित् न अस्ति] કારણ કે નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર (- પરમાત્મા) તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી (-સમયસાર સિવાય બીજુ કાંઈ પણ સારભૂત નથી).
ભાવાર્થઃ– પૂર્ણજ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો; આ ઉપરાંત ખરેખર બીજું કાંઈ પણ સારભૂત નથી. ૨૪૪.
હવે છેલ્લી ગાથામાં આ સમયસાર ગ્રંથના અભ્યાસ વગેરેનું ફળ કહીને આચાર્યભગવાન આ ગ્રંથ પૂર્ણ કરશે; તેની સૂચનાનો શ્લોક પ્રથમ કહે છેઃ-
શ્લોકાર્થઃ– [आनन्दमयम् विज्ञानघनम् अध्यक्षतां नयत्] આનંદમય વિજ્ઞાનઘનને (- શુદ્ધ પરમાત્માને, સમયસારને) પ્રત્યક્ષ કરતું [इदम् एकम् अक्षयं जगत्–चक्षः] આ એક (-અદ્વિતીય) અક્ષય જગત-ચક્ષુ (-સમયપ્રાભૃત) [पूर्णताम् याति] પૂર્ણતાને પામે છે.
ભાવાર્થઃ– આ સમયપ્રાભૃત ગ્રંથ વચનરૂપે તેમ જ જ્ઞાનરૂપે-બન્ને પ્રકારે જગતને અક્ષય (અર્થાત્ જેનો વિનાશ ન થાય એવું) અદ્વિતીય નેત્ર સમાન છે, કારણ