Pravachan Ratnakar (Gujarati). Gatha: 415.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3750 of 4199

 

ગાથા–૪૧પ
जो समयपाहुडमिणं पढिदूणं अत्थतच्चदो णादुं।
अत्थे ठाही चेदा सो होही उत्तमं सोक्खं।। ४१५।।
यः समयप्राभृतमिदं पठित्वा अर्थतत्त्वतो ज्ञात्वा।
अर्थे स्थास्यति चेतयिता स भविष्यत्युत्तमं सौख्यम्।। ४१५।।

હવે ભગવાન કુંદકુંદાચાર્યદેવ આ ગ્રંથને પૂર્ણ કરે છે તેથી તેના મહિમારૂપે તેના અભ્યાસ વગેરેનું ફળ ગાથામાં કહે છેઃ-

આ સમયપ્રાભૃત પઠન કરીને, અર્થ–તત્ત્વથી જાણીને,
ઠરશે અરથમાં આતમા જે, સૌખ્ય ઉત્તમ તે થશે. ૪૧પ.

ગાથાર્થઃ– [यः चेतयिता] જે આત્મા (-ભવ્ય જીવ) [इदं समयप्राभृतम् पठित्वा] આ સમયપ્રાભૃતને ભણીને, [अर्थतत्त्वतः ज्ञात्वा] અર્થ અને તત્ત્વથી જાણીને, [अर्थे स्थास्यति] તેના અર્થમાં સ્થિત થશે, [सः] તે [उत्तमं सौख्यम् भविष्यति] ઉત્તમ સૌખ્યસ્વરૂપ થશે.

ટીકાઃ– સમયસારભૂત ભગવાન પરમાત્માનું-કે જે વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે તેનું-પ્રતિપાદન કરતું હોવાથી જે પોતે શબ્દબ્રહ્મ સમાન છે એવા આ શાસ્ત્રને જે આત્મા ખરેખર ભણીને, વિશ્વને પ્રકાશવામાં સમર્થ એવા પરમાર્થભૂત, ચૈતન્ય-પ્રકાશરૂપ આત્માનો નિશ્ચય કરતો થકો (આ શાસ્ત્રને) અર્થથી અને તત્ત્વથી જાણીને, તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરમબ્રહ્મમાં સર્વ ઉદ્યમથી સ્થિત થશે, તે આત્મા, સાક્ષાત્ તત્ક્ષણ પ્રગટ થતા એક ચૈતન્યરસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ (-આકુળતા વિનાનું) હોવાને લીધે જે (સૌખ્ય) ‘પરમાનંદસ’ શબ્દથી વાચ્ય છે, ઉત્તમ છે અને અનાકુળતા-લક્ષણવાળું છે એવા સૌખ્યસ્વરૂપ પોતે જ થઈ જશે.

ભાવાર્થઃ– આ શાસ્ત્રનું નામ સમયપ્રાભૃત છે. સમય એટલે પદાર્થ, અથવા સમય એટલે આત્મા. તેનું કહેનારું આ શાસ્ત્ર છે. વળી આત્મા તો સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. આવા વિશ્વપ્રકાશક આત્માને કહેતું હોવાથી આ સમયપ્રાભૃત શબ્દબ્રહ્મ સમાન છે; કારણ કે જે સમસ્ત પદાર્થોનું કહેનાર હોય તેને શબ્દબ્રહ્મ કહેવામાં આવે