Pravachan Ratnakar (Gujarati). Kalash: 251.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3784 of 4199

 

પરિશિષ્ટઃ ૩૩૩
(शार्दूलविक्रीडित)
ज्ञेयाकारकलङ्कमेचकचिति प्रक्षालनं कल्पय
न्नेकाकारचिकीर्षया स्फुटमपि ज्ञानं पशुर्नेच्छति ।
वैचिक्र्येऽप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतःक्षालितं
पर्यायैस्तदनेकतां परिमृशन् पश्यत्यनेकान्तवित्।। २५१।।

થઈ જતો થકો) [नश्यति] નાશ પામે છે; [अनेकान्तवित्] અને અનેકાંતનો જાણનાર તો, [सदा अपि उदितया एक–द्रव्यतया] સદાય ઉદિત (-પ્રકાશમાન) એકદ્રવ્યપણાને લીધે [भेदभ्रमं ध्वंसन्] ભેદના ભ્રમને નષ્ટ કરતો થકો (અર્થાત્ જ્ઞેયોના ભેદે જ્ઞાનમાં સર્વથા ભેદ પડી જાય છે એવા ભ્રમનો નાશ કરતો થકો), [एकम् अबाधित–अनुभवनं ज्ञानम्] જે એક છે (-સર્વથા અનેક નથી) અને જેનું અનુભવન નિર્બાધ છે એવા જ્ઞાનને [पश्यति] દેખે છે-અનુભવે છે.

ભાવાર્થઃ– જ્ઞાન છે તે જ્ઞેયોના આકારે પરિણમવાથી અનેક દેખાય છે, તેથી સર્વથા એકાંતવાદી તે જ્ઞાનને સર્વથા અનેક-ખંડખંડરૂપ-દેખતો થકો જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે; અને સ્યાદ્વાદી તો જ્ઞાનને, જ્ઞેયાકાર થવા છતાં, સદા ઉદયમાન દ્રવ્યપણા વડે એક દેખે છે.

આ પ્રમાણે એકપણાનો ભંગ કહ્યો. ૨પ૦. (હવે ચોથા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ–

[पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ज्ञेयाकार–कलङ्क–

मेचक–चिति प्रक्षालनं कल्पयन्] જ્ઞેયકારોરૂપી કલંકથી (અનેકાકારરૂપ) મલિન એવા ચેતનમાં પ્રક્ષાલન કલ્પતો થકો (અર્થાત્ ચેતનની અનેકાકારરૂપ મલિનતાને ધોઈ નાખવાનું કલ્પતો થકો), [एकाकार–चिकीर्षया स्फुटम् अपि ज्ञानं न इच्छति] એકાકાર કરવાની ઇચ્છાથી જ્ઞાનને-જોકે તે જ્ઞાન અનેકાકારપણે પ્રગટ છે તોપણ-ઇચ્છતો નથી (અર્થાત્ જ્ઞાનને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનો અભાવ કરે છે); [अनेकान्तवित्] અને અનેકાંતનો જાણનાર તો, [पर्यायैः तद्–अनेकतां परिमृशन्] પર્યાયોથી જ્ઞાનની અનેક્તા જાણતો (અનુભવતો) થકો, [वैचिक्र्ये अपि अविचित्रताम् उपगतं ज्ञानं] વિચિત્ર છતાં અવિચિત્રતાને પ્રાપ્ત (અર્થાત્ અનેકરૂપ છતાં એકરૂપ) એવા જ્ઞાનને [स्वतःक्षालितं] સ્વતઃક્ષાલિત (સ્વયમેવ ધોયેલું-શુદ્ધ) [पश्यति] અનુભવે છે.

ભાવાર્થઃ– એકાંતવાદી જ્ઞેયાકારરૂપ (અનેકાકારરૂપ) જ્ઞાનને મલિન જાણી, તેને ધોઈને-તેમાંથી જ્ઞેયાકારો દૂર કરીને, જ્ઞાનને જ્ઞેયાકારો રહિત એક-આકારરૂપ કરવા ઇચ્છતો થકો, જ્ઞાનનો નાશ કરે છે; અને અનેકાંતી તો સત્યાર્થ વસ્તુસ્વભાવને જાણતો