૩૩૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
ज्ज्ञेयाकारविशीर्णशक्तिरभितस्त्रुटयन्पशुर्नश्यति ।
एकद्रव्यतया सदाप्युदितया भेदभ्रमं ध्वंसय–
न्नेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकान्तवित्।। २५०।।
इति प्रतर्क्य] ‘વિશ્વ જ્ઞાન છે (અર્થાત્ સર્વ જ્ઞેયપદાર્થો આત્મા છે)’ એમ વિચારીને [सकलं स्वतत्त्व–आशया द्रष्टवा] સર્વને (-સમસ્ત વિશ્વને) નિજતત્ત્વની આશાથી દેખીને [विश्वमयः भूत्वा] વિશ્વમય (-સમસ્ત જ્ઞેયપદાર્થમય) થઈને, [पशुः इव स्वच्छन्दम् आचेष्टते] ઢોરની માફક સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છે-વર્તે છે; [पुनः] અને [स्याद्वाददर्शी] સ્યાદ્વાદદર્શી તો (-સ્યાદ્વાદનો દેખનાર તો), [‘यत् तत् तत् पररूपतः न तत्’ इति] ‘જે તત્ છે તે પરરૂપથી તત્ નથી (અર્થાત્ દરેક તત્ત્વને સ્વરૂપથી તત્પણું હોવા છતાં પરરૂપથી અતત્પણું છે)’ એમ માનતો હોવાથી, [विश्वात् भिन्नम् अविश्व–विश्वघटितं] વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી (-વિશ્વના નિમિત્તથી) રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહિ એવા (અર્થાત્ સમસ્ત જ્ઞેય વસ્તુઓના આકારે થવા છતાં સમસ્ત જ્ઞેયવસ્તુથી ભિન્ન એવા) [तस्य स्वतत्त्वं स्पृशेत्] પોતાના નિજતત્ત્વને સ્પર્શે છે-અનુભવે છે.
ભાવાર્થઃ– એકાંતવાદી એમ માને છે કે-વિશ્વ (-સમસ્ત વસ્તુઓ) જ્ઞાનરૂપ અર્થાત્ પોતારૂપ છે. આ રીતે પોતાને અને વિશ્વને અભિન્ન માનીને, પોતાને વિશ્વમય માનીને, એકાંતવાદી, ઢોરની જેમ હેય-ઉપાદેયના વિવેક વિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે. સ્યાદ્વાદી તો એમ માને છે કે-જે વસ્તુ પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ છે, તે જ વસ્તુ પરના સ્વરૂપથી અતત્સ્વરૂપ છે; માટે જ્ઞાન પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ છે, પરંતુ પર જ્ઞેયોના સ્વરૂપથી અતત્સ્વરૂપ છે અર્થાત્ પર જ્ઞેયોના આકારે થવા છતાં તેમનાથી ભિન્ન છે.
આ પ્રમાણે પરરૂપથી અતત્પણાનો ભંગ કહ્યો. ૨૪૯. (હવે ત્રીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ– [पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [बाह्य–अर्थ– ग्रहण–स्वभाव–भरतः] બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાના (જ્ઞાનના) સ્વભાવની અતિશયતાને લીધે, [विष्वग्–विचित्र–उल्लसत्–ज्ञेयाकार–विशीर्ण–शक्तिः] ચારે તરફ (સર્વત્ર) પ્રગટ થતા અનેક પ્રકારના જ્ઞેયાકારોથી જેની શક્તિ વિશીર્ણ થઈ ગઈ છે એવો થઈને (અર્થાત્ અનેક જ્ઞેયોના આકારો જ્ઞાનમાં જણાતાં જ્ઞાનની શક્તિને છિન્નભિન્ન- ખંડ-ખંડરૂપ-થઈ જતી માનીને) [अभितः त्रुटयन्] સમસ્તપણે તૂટી જતો થકો (અર્થાત્ ખંડખંડરૂપ-અનેકરૂપ-