Pravachan Ratnakar (Gujarati). Kalash: 254.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3786 of 4199

 

પરિશિષ્ટઃ ૩૩પ
(शार्दूलविक्रीडित)
भिन्नक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठः सदा
सीदत्येव बहिः पतन्तमभितः पश्यन्पुमांसं पशुः।
स्वक्षेत्रास्तितया निरुद्धरभसः स्याद्वादवेदी पुन–
स्तिष्ठत्यात्मनिखातबोध्यनियतव्यापारशक्तिर्भवन्।। २५४।।

દુર્વાસનાથી (-કુનયની વાસનાથી) વાસિત થયો થકો, [पुरुषं सर्वद्रव्यमयं प्रपद्य] આત્માને સર્વદ્રવ્યમય માનીને, [स्वद्रव्य–भ्रमतः परद्रव्येषु किल विश्राम्यति] (પરદ્રવ્યોમાં) સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો, [समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां जानन्] સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્યસ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો, [निर्मल–शुद्ध–बोध–महिमा] જેનો શુદ્ધજ્ઞાનમહિમા નિર્મળ છે એવો વર્તતો થકો, [स्वद्रव्यम् एव आश्रयेत्] સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે.

ભાવાર્થઃ– એકાંતવાદી આત્માને સર્વદ્રવ્યમય માનીને, આત્મામાં જે પરદ્રવ્ય- અપેક્ષાએ નાસ્તિત્વ છે તેનો લોપ કરે છે; અને સ્યાદ્વાદી તો સર્વ પદાર્થોમાં પરદ્રવ્ય- અપેક્ષાએ નાસ્તિત્વ માનીને નિજ દ્રવ્યમાં રમે છે.

આ પ્રમાણે પરદ્રવ્ય-અપેક્ષાથી નાસ્તિત્વનો (-અસત્પણાનો) ભંગ કહ્યો. ૨પ૩. (હવે સાતમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ–

[पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [भिन्न–क्षेत्र–

निषण्ण–बोध्य–नियत–व्यापार–निष्ठः] ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞેયપદાર્થોમાં જે જ્ઞેયજ્ઞાયક સંબંધરૂપ નિશ્ચિત વ્યાપાર તેમાં પ્રવર્તતો થકો, [पुमांसम् अभितः बहिः पतन्तम् पश्यन्] આત્માને સમસ્તપણે બહાર (પરક્ષેત્રમાં) પડતો દેખીને (-સ્વક્ષેત્રથી આત્માનું અસ્તિત્વ નહિ માનીને) [सदा सीदति एव] સદા નાશ પામે છે; [स्याद्वादवेदी पुनः] અને સ્યાદ્વાદનો જાણનાર તો, [स्वक्षेत्र–अस्तितया निरुद्ध–रभसः] સ્વક્ષેત્રથી અસ્તિપણાને લીધે જેનો વેગ રોકાયેલો છે એવો થયો થકો (અર્થાત્ સ્વક્ષેત્રમાં વર્તતો થકો), [आत्म– निखात–बोध्य–नियत–व्यापार–शक्तिः भवन्] આત્મામાં જ આકારરૂપ થયેલાં જ્ઞેયોમાં નિશ્ચિત વ્યાપારની શક્તિવાળો થઈને, [तिष्ठति] ટકે છે-જીવે છે (-નષ્ટ થતો નથી).

ભાવાર્થઃ– એકાંતવાદી ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોને જાણવાના કાર્યમાં પ્રવર્તતાં આત્માને બહાર પડતો જ માનીને, (સ્વક્ષેત્રથી અસ્તિત્વ નહિ માનીને,) પોતાને નષ્ટ કરે છે; અને સ્યાદ્વાદી તો, ‘પરક્ષેત્રમાં રહેલાં જ્ઞેયોને જાણતાં પોતાના ક્ષેત્રમાં રહેલો આત્મા સ્વક્ષેત્રથી અસ્તિત્વ ધારે છે’ એમ માનતો થકો ટકી રહે છે-નાશ પામતો નથી.