૩૩૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां
त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परान्।। २५५।।
(હવે આઠમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-)
શ્લોકાર્થઃ–
पृथग्विध–परक्षेत्र–स्थित–अर्थ–उज्झनात्] સ્વક્ષેત્રમાં રહેવા માટે જુદા જુદા પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોને છોડવાથી, [अर्थैः सह चिद्–आकारान् वमन्] જ્ઞેય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને પણ વમી નાખતો થકો (અર્થાત્ જ્ઞેય પદાર્થોના નિમિત્તે ચૈતન્યમાં જે આકારો થાય છે તેમને પણ છોડી દેતો થકો) [तुच्छीभूय] તુચ્છ થઈને [प्रणश्यति] નાશ પામે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો [स्वधामनि वसन्] સ્વક્ષેત્રમાં રહેતો, [परक्षेत्रे नास्तितां विदन्] પરક્ષેત્રમાં પોતાનું નાસ્તિત્વ જાણતો થકો, [त्यक्त–अर्थः अपि] (પરક્ષેત્રમાં રહેલા) જ્ઞેય પદાર્થોને છોડતાં છતાં [परान् आकारकर्षी] તે પર પદાર્થોમાંથી ચૈતન્યના આકારોને ખેંચતો હોવાથી (અર્થાત્ જ્ઞેય પદાર્થોના નિમિત્તે થતા ચૈતન્યના આકારોને છોડતો નહિ હોવાથી) [तुच्छताम्–अनुभवति न] તુચ્છતા પામતો નથી.
ભાવાર્થઃ– ‘પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોના આકારે ચૈતન્યના આકારો થાય છે તેમને જો હું પોતાના કરીશ તો સ્વક્ષેત્રમાં જ રહેવાને બદલે પરક્ષેત્રમાં પણ વ્યાપી જઈશ’ એમ માનીને અજ્ઞાની એકાંતવાદી પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોની સાથે સાથે ચૈતન્યના આકારોને પણ છોડી દે છે; એ રીતે પોતે ચૈતન્યના આકારો રહિત તુચ્છ થાય છે, નાશ પામે છે. સ્યાદ્વાદી તો સ્વક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રમાં પોતાની નાસ્તિતા જાણતો થકો, જ્ઞેય પદાર્થોને છોડતાં છતાં ચૈતન્યના આકારોને છોડતો નથી; માટે તે તુચ્છ થતો નથી, નાશ પામતો નથી.
આ પ્રમાણે પરક્ષેત્રની અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨પપ. (હવે નવમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ–
नाश–समये ज्ञानस्य नाशं विदन्] પૂર્વાલંબિત જ્ઞેય પદાર્થોના નાશ સમયે જ્ઞાનનો પણ નાશ જાણતો થકો, [न किञ्चन अपि कलयन्] એ રીતે જ્ઞાનને કાંઈ પણ (વસ્તુ) નહિ