सीदत्येव न किञ्चनापि कलयन्नत्यन्ततुच्छः पशुः ।
अस्तित्वं निजकालतोऽस्य कलयन स्याद्वादवेदी पुनः
पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि।। २५६।।
र्ज्ञेयालम्बनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति।
नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुन–
स्तिष्ठत्यात्मनिखातनित्यसहजज्ञानैकपुञ्जीभवन् ।। २५७।।
જાણતો થકો (અર્થાત્ જ્ઞાનવસ્તુનું અસ્તિત્વ જ નહિ માનતો થકો), [अत्यन्त–तुच्छः] અત્યંત તુચ્છ થયો થકો [सीदति एव] નાશ પામે છે; [स्याद्वादवेदी पुनः] અને સ્યાદ્વાદનો જાણનાર તો [अस्य निज–कालतः अस्तित्वं कलयन्] આત્માનું નિજ કાળથી અસ્તિત્વ જાણતો થકો, [बाह्यवस्तुषु मुहुः भूत्वा विनश्यत्सु अपि] બાહ્ય વસ્તુઓ વારંવાર થઈને નાશ પામતાં છતાં પણ, [पूर्णः तिष्ठति] પોતે પૂર્ણ રહે છે.
ભાવાર્થઃ– પહેલાં જે જ્ઞેય પદાર્થો જાણ્યા હતા તે ઉત્તર કાળમાં નાશ પામી ગયા; તેમને દેખી એકાંતવાદી પોતાના જ્ઞાનનો પણ નાશ માની અજ્ઞાની થયો થકો આત્માનો નાશ કરે છે. સ્યાદ્વાદી તો, જ્ઞેય પદાર્થો નષ્ટ થતાં પણ, પોતાનું અસ્તિત્વ પોતાના કાળથી જ માનતો થકો નષ્ટ થતો નથી.
આ પ્રમાણે સ્વકાળ-અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨પ૬.
(હવે દસમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-)
શ્લોકાર્થઃ– [पशुः] પશુ અર્થાત્ અજ્ઞાની એકાંતવાદી, [अर्थ–आलम्बन–काले एव ज्ञानस्य सत्त्वं कलयन्] જ્ઞેય પદાર્થોના આલંબન કાળે જ જ્ઞાનનું અસ્તિત્વ જાણતો થકો, [बहिः– ज्ञेय–आलम्बन–लालसेन मनसा भ्राम्यन्] બાહ્ય જ્ઞેયોના આલંબનની લાલસાવાળા ચિત્તથી (બહાર) ભમતો થકો [नश्यति] નાશ પામે છે; [स्याद्वादवेदी पुनः] અને