૩૪૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात्।। २६१।।
નાશ પામે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો [चिद्–आत्मना चिद्–वस्तु नित्य– उदितं परिमृशन्] ચૈતન્યાત્મકપણા વડે ચૈતન્યવસ્તુને નિત્ય-ઉદિત અનુભવતો થકો, [टङ्कोत्कीर्ण–घन–स्वभाव–महिम ज्ञानं भवन्] ટંકોત્કીર્ણઘનસ્વભાવ (-ટંકોત્કીર્ણપિંડરૂપ સ્વભાવ) જેનો મહિમા છે એવા જ્ઞાનરૂપ વર્તતો, [जीवति] જીવે છે.
ભાવાર્થઃ– એકાંતવાદી જ્ઞેયોના આકાર અનુસાર જ્ઞાનને ઊપજતું-વિણસતું દેખીને, અનિત્ય પર્યાયો દ્વારા આત્માને સર્વથા અનિત્ય માનતો થતો, પોતાને નષ્ટ કરે છે; અને સ્યાદ્વાદી તો, જોકે જ્ઞાન જ્ઞેયો અનુસાર ઊપજે-વિણસે છે તોપણ, ચૈતન્યભાવનો નિત્ય ઉદય અનુભવતો થકો જીવે છે-નાશ પામતો નથી.
આ પ્રમાણે નિત્યત્વનો ભંગ કહ્યો. ૨૬૦. (હવે ચૌદમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ–
बोध–विसर–आकार–आत्म–तत्त्व–आशया] ટંકોત્કીર્ણ વિશુદ્ધ જ્ઞાનના ફેલાવરૂપ એક આકાર (સર્વથા નિત્ય) આત્મતત્ત્વની આશાથી, [उच्छलत्–अच्छ–चित्परिणतेः भिन्नं किञ्चन वाञ्छति] ઊછળતી નિર્મળ ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક (આત્મતત્ત્વને) ઇચ્છે છે (પરંતુ એવું કોઈ આત્મતત્ત્વ છે નહિ); [स्याद्वादी] અને સ્યાદ્વાદી તો, [चिद्–वस्तु– वृत्ति–क्रमात् तद्–अनित्यतां परिमृशन्] ચૈતન્યવસ્તુની વૃત્તિના (-પરિણતિના, પર્યાયના) ક્રમ દ્વારા તેની અનિત્યતાને અનુભવતો થકો, [नित्यम् ज्ञानं अनित्यता परिगमे अपि उज्ज्वलम् आसादयति] નિત્ય એવા જ્ઞાનને અનિત્યતાથી વ્યાપ્ત છતાં ઉજ્જ્વળ (-નિર્મળ) માને છે-અનુભવે છે.
ભાવાર્થઃ– એકાંતવાદી જ્ઞાનને સર્વથા એકાકાર-નિત્ય પ્રાપ્ત કરવાની વાંછાથી, ઊપજતી-વિણસતી ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક જ્ઞાનને ઇચ્છે છે; પરંતુ પરિણામ સિવાય જુદો કોઈ પરિણામી તો હોતો નથી. સ્યાદ્વાદી તો એમ માને છે કે-જોકે દ્રવ્યે જ્ઞાન નિત્ય છે તોપણ ક્રમશઃ ઊપજતી-વિણસતી ચૈતન્યપરિણતિના ક્રમને લીધે જ્ઞાન અનિત્ય પણ છે; એવો જ વસ્તુસ્વભાવ છે.
આ પ્રમાણે અનિત્યત્વનો ભંગ કહ્યો. ૨૬૧. ‘પૂર્વોક્ત રીતે અનેકાંત, અજ્ઞાનથી મૂઢ થયેલા જીવોને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ