नैवं, नयविभागानभिज्ञोऽसि–
ववहारणओ भासदि जीवो देहो य हवदि खलु एक्को। ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एक्कट्ठो।। २७ ।।
न तु निश्चयस्य जीवो देहश्च कदाप्येकार्थः।। २७ ।।
ત્યાં આચાર્ય કહે છે કે એમ નથી; તું નયવિભાગને જાણતો નથી. તે નયવિભાગ આ પ્રમાણે છે એમ ગાથામાં કહે છેઃ-
પણ નિશ્ચયે તો જીવ–દેહ કદાપિ એક પદાર્થના. ૨૭.
ગાથાર્થઃ– [व्यवहारनयः] વ્યવહારનય તો [भाषते] એમ કહે છે કે [जीवः देहः च] જીવ અને દેહ [एकः खलु] એક જ [भवति] છે; [तु] પણ [निश्चयस्य] નિશ્ચયનયનું કહેવું છે કે [जीवः देहः च] જીવ અને દેહ [कदा अपि] કદી પણ [एकार्थः] એક પદાર્થ [न] નથી.
ટીકાઃ– જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી એક કરવાથી એકપિંડનો વ્યવહાર થાય છે તેમ આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહાર છે. આમ વ્યવહારમાત્રથી જ આત્મા અને શરીરનું એકપણું છે, પરંતુ નિશ્ચયથી એકપણું નથી; કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો, જેમ પીળાપણું આદિ અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ છે એવાં સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની અસિદ્ધિ છે તેથી અનેકપણું જ છે, તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવાં આત્મા અને શરીરને અત્યંત ભિન્નપણું હોવાથી એક પદાર્થપણાની પ્રાપ્તિ નથી તેથી અનેકપણું જ છે. આવો આ પ્રગટ નયવિભાગ છે.
માટે વ્યવહારનયે જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે.
ભાવાર્થઃ– વ્યવહારનય તો આત્મા અને શરીરને એક કહે અને નિશ્ચયનય ભિન્ન કહે છે. તેથી વ્યવહારનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે.