Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3884 of 4199

 

પરિશિષ્ટઃ ૪૩૩

અન્યજ્ઞેયને લઈને નથી. અહા! સ્વપરને જાણવાપણે પ્રતિસમય પરિણમે એ જ્ઞાનનું આત્માનું સ્વરૂપ જ છે; પણ અજ્ઞાની- એકાંતી તેમ નહિ માનતાં, પૂર્વે જાણવામાં આવેલા જ્ઞેયો નાશ પામતાં મારું જ્ઞાન નાશ પામી ગયું એમ માને છે; કેમકે એની દ્રષ્ટિ પર ઉપર જ છે, પરાવલંબી છે. સમજાણું કાંઈ....?

અહો! આ તો અનંતા તીર્થંકરોના પેટની રહસ્યની વાત આચાર્ય ભગવાને વહેતી મૂકી છે. એના પ્રવાહનું અમૃત પીનારા પીને પરમાનંદને પામે છે, ને બાકીના તુચ્છ અભાવરૂપ થઈને રખડી મરે છે.

હવે કહે છે-- ‘स्याद्वादवेदी पुनः’ અને સ્યાદ્વાદનો જાણનાર તો ‘अस्य निज– कालतः अस्तित्वं कलयन्’ આત્માનું નિજકાળથી અસ્તિત્વ જાણતો થકો, ‘बाह्यवस्तुषु मुहुः भूत्वा विनश्यत्सु अपि’ બાહ્ય વસ્તુઓ વારંવાર થઈને નાશ પામતાં છતાં પણ, ‘पूर्णः तिष्ठति’ પોતે પૂર્ણ રહે છે.

અહાહા...! સ્યાદ્વાદનો જાણનાર અર્થાત્ વસ્તુને અપેક્ષાથી યથાર્થ જાણનાર તો, હું સ્વકાળથી અસ્તિ છું, પરકાળને લઈને મારું જ્ઞાન છે એમ નથી, -અહાહા.....! એમ જાણતો થકો, વારંવાર પરવસ્તુઓ નાશ પામવા છતાં, ઊભો જ રહે છે, નાશ પામતો નથી. કળશટીકામાં કળશ ૨પ૨ માં ત્રિકાળી વસ્તુને સ્વકાળ કહી છે, ને તેની વર્તમાન- વર્તમાન વર્તતી અવસ્થાના ભેદને, દ્રવ્યસ્વભાવની અપેક્ષા પરકાળ કહ્યો છે. અહાહા....! જ્ઞાની કહે છે-મારી વર્તમાન દશામાં સ્વતઃ પલટના થવા છતાં હું સ્વકાળથી અસ્તિરૂપ છું, દ્રવ્યભાવથી ત્રિકાળ અસ્તિરૂપ છું, એક જ્ઞાયકભાવમય છું. આવી વાત!

ધર્મી જાણે છે કે-સામે ભગવાન છે તે કાળે ભગવાનને જાણવાપણે જ્ઞાનની દશા થઈ તે પોતાની પોતાથી થઈ છે, ભગવાનને લઈને થઈ નથી. અહાહા....! પરકાળરૂપ પૂર્વાલંબિત જ્ઞેયપદાર્થો જે ખ્યાલમાં આવે છે તે પલટવા કાળે પણ હું તો આ એક જ્ઞાયક જ છું. આમ આત્માનું નિજકાળથી અસ્તિત્વ જાણતો, બાહ્ય વસ્તુઓ-જ્ઞેયો ભલે સમયે સમયે પલટાય છતાં, પોતે પૂર્ણ રહે છે અર્થાત્ હું તો જ્ઞાનાનંદ-પૂર્ણાનંદસ્વરૂપ જ છું એમ પોતાને જાણે છે-અનુભવે છે. અહાહા! પોતાની જ્ઞાનની દશા પોતાના જ આલંબનથી ઉત્પન્ન થઈ છે એમ જાણતો ધર્મી પોતે પૂર્ણ રહે છે અર્થાત્ નાશ પામતો નથી.

ભાઈ! આ તારા ઘરનાં નિધાન સંતો તને દેખાડે છે. બાકી ૮૪ ના અવતારમાં કોઈ તને સહાય કરે એમ નથી. આ આત્માને એક જ્ઞાયક આત્મા જ શરણ છે. અને અરિહંતા શરણં, સિદ્ધાં શરણં ઈત્યાદિ કહીએ એ તે વ્યવહારથી છે; એ તો શુભભાવમાત્ર છે. સમજાણું કાંઈ.....?

* કળશ ૨પ૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘પહેલાં જે જ્ઞેય પદાર્થો જાણ્યા હતા તે ઉત્તર કાળમાં નાશ પામી ગયા; તેમને