Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 389 of 4199

 

૧૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ પોતાનો માનીને ભૂલ્યો.” આ ટૂંકી ભાષા છે. કર્મે તને ભૂલાવ્યો નથી. કર્મોએ તને રખડાવ્યો નથી. પૂજામાં આવે છે કેઃ-

“કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ,
અગ્નિ સહૈ ઘનઘાત લોહકી સંગતિ પાઈ.”

એટલે લોઢાનો સંગ અગ્નિ કરે તો અગ્નિ ઉપર ઘણ પડે તેમ આત્મા પોતે પરનો સંગ કરે તો રાગાદિ થાય, દુઃખના ઘણ પડે; પણ પરને લઈને થાય એમ નથી.

અહીં એ કહે છે કે સોનું અને ચાંદીના રજકણો ભિન્ન ભિન્ન છે, અનેકપણે છે. સોનાને ધોળું કહેવું એ તો કથનમાત્ર છે, વસ્તુ એમ છે નહિ, તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવાં આત્મા અને શરીરને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની પ્રાપ્તિ નથી તેથી અનેકપણું જ છે.’ અહાહા! જ્ઞાયકસ્વભાવી આત્મા નિત્યઉપયોગસ્વરૂપ વસ્તુ-તત્ત્વ છે. એ અનાદિ અનંત અસ્તિત્વવાળી સત્યાર્થ પરમાર્થ વસ્તુ છે. આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત ઈશ્વરતા-એમ અનંત અનંત ગુણોના અસ્તિત્વના સ્વભાવથી સ્વભાવવાન વસ્તુ છે.

પરને પોતાનું માનવું એ તો મિથ્યા ભ્રમ-અજ્ઞાન છે જ. પરંતુ આત્માને એક સમયની પર્યાય જેટલો માને એ પણ પર્યાયમૂઢ જીવ છે, પરસમય છે, મિથ્યાદ્રષ્ટિ છે. અહાહા! વસ્તુ તો આખી આનંદકંદ, જ્ઞાનાનંદરસકંદ, ત્રિકાળી સત્ના સત્ત્વરૂપે અંદર પડી છે. એક સમયની પર્યાય તો એના અનંતમા ભાગે એક અંશ વ્યક્ત છે. એ અનંત- સ્વભાવનો સ્વભાવવાન તું, એનું ત્રિકાળી સત્ત્વ કાંઈ એક સમયની પર્યાયમાં નથી આવતું. આવો ભગવાન પૂર્ણાનંદનો નાથ છે. એને પરપણે માનવો કે પરથી હું છું એમ માનવો એ તો મિથ્યાભ્રમ, અજ્ઞાન અને ભવભ્રમણનું મૂળ છે. ૮૪ લાખના અવતારની એ જડ છે. સંયોગી ચીજ પરવસ્તુ અને સંયોગીભાવ એટલે પુણ્ય-પાપના વિકાર એ બધું છે. પણ પોતાના સ્વભાવવાનને ભૂલીને સંયોગી ચીજ અને સંયોગીભાવને પોતાના માનવા એ ભવભ્રમણની જડ છે.

વસ્તુ સહજાનંદસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદનો નાથ નિત્યઉપયોગસ્વભાવે અંદર પડેલી છે એને આત્મતત્ત્વ કહીએ. એના ઉપર અનંતકાળમાં પણ નજર ગઈ નહિ અને બહાર જોયા કર્યું. પોતે જોનારો કેવડો અને કયાં છે અંદર એ જોયું નહિ, અને માત્ર પરને અને બહુ બહુ તો એક સમયની પર્યાયને જોઈ. પર્યાય જેમાંથી ઊભી થાય છે અને જેના આશ્રયે છે એવી ત્રિકાળી, ધ્રુવ ચીજને જોઈ નહિ અને માની નહિ. અને શરીરની ક્રિયાઓ કરો, સંયમ શરીરથી પળે એમ શરીરની ક્રિયામાં તથા ગામને સુધારી દઉં, દુનિયાને સુધારી દઉં, ઉપદેશથી સમજાવીને લોકોને તારી દઉં ઇત્યાદિ ક્રિયાઓ તથા ભાવોમાં પોતાપણું