Pravachan Ratnakar (Gujarati). 6 ViryaShakti.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3957 of 4199

 

૩૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧

૬ઃ વીર્યશક્તિ

‘સ્વરૂપ (-આત્મસ્વરૂપની) રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ’ અહાહા...! આત્મામાં જેમ જ્ઞાન ગુણ છે તેમ વીર્ય નામનો એક ગુણ છે. આ પુત્ર-પુત્રી થવાના નિમિત્તરૂપ જે શરીરનું વીર્ય-જડ વીર્ય છે તેની અહીં વાત નથી. વીર્ય એટલે બળ નામની આત્મામાં એક શક્તિ છે. આ શક્તિ વડે આત્મા બળવાન છે. અહાહા...! પોતાના સ્વરૂપની રચના કરે-સ્વરૂપને ધારી રાખે એવો જે આત્માનો સ્વભાવ તે વીર્યશક્તિ છે.

અહાહા...! વીર્યશક્તિનો સ્વભાવ આત્માના સ્વરૂપની રચના કરવાનો છે. શું કીધું? જ્ઞાન, દર્શન, આનંદ, પ્રભુતા, સ્વચ્છતા આદિ અનંત ગુણો તે આત્માનું સ્વરૂપ છે. અહાહા...! અનંત ગુણનો સ્વામી આત્મા અનંતનાથ ભગવાન છે. તેની સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યગ્ચારિત્ર, અનાકુળ અતીન્દ્રિય આનંદ, સમ્યક્ વીર્ય ઇત્યાદિ નિર્મળ પર્યાયને રચે તે વીર્યશક્તિનું કાર્ય છે. પણ રાગની રચના કરે, કે જડની-શરીરની, મકાનની, સમાજની કે દેશની રચના કરે તે આત્માની વીર્યશક્તિનું કાર્ય નહિ. ભાઈ! આત્મામાં જે બળશક્તિ-વીર્યશક્તિ છે તે નિર્મળ સ્વસ્વરૂપની રચના કરવાના સામર્થ્યરૂપ છે; અને જડની રચના તો જડની શક્તિનું કાર્ય છે. સમજાણું કાંઈ...?

જુઓ, નેમિનાથ ભગવાન ગૃહસ્થદશામાં હતા ત્યારનો એક પ્રસંગ પુરાણમાં વર્ણવેલો છે. શ્રીકૃષ્ણ-વાસુદેવની રાજસભામાં એક વાર ચર્ચા નીકળી કે અહીં સૌથી બળવાન કોણ? કોઈ કહે પાંડવો બળવાન છે, બીજો કહે કે બળભદ્ર બળવાન છે, ત્રીજો કહે કે શ્રીકૃષ્ણ-વાસુદેવ બળવાન છે, ચોથો કહે કે ધર્મરાજા બળવાન છે. એવામાં તે જ વખતે રાજસભામાં નેમિકુમાર પધાર્યા. ત્યારે બળભદ્રે કહ્યું કે-બધા બળવાન ભલે હો, પણ નેમિકુમારના તોલે નહિ; નેમિકુમાર બાવીસમા તીર્થંકર છે અને તે જ સૌમાં બળવાન છે. શ્રીકૃષ્ણને આ વાત રુચિ નહિ; એટલે તેમણે નેમિકુમારને કુસ્તી કરીને પોતાનું બળવાનપણું સાબિત કરવા આહ્યાન આપ્યું. નેમિકુમારે કહ્યું-બંધુવર! મોટાભાઈની સાથે કુસ્તી ન કરાય, પણ બળની પરીક્ષા જ કરવી છે તો આ મારો પગ અહીંથી તમે ખસેડી દો. શ્રીકૃષ્ણે ઘણી મહેનત કરી, પણ તે નેમિકુમારનો પગ ખસેડી શકયા નહિ. પછી નેમિકુમારે પોતાની ટચલી આંગળી સીધી કરી કહ્યું-આ મારી ટચલી આંગળી વાળી આપો. શ્રીકૃષ્ણ ટચલી આંગળી પર પૂરી તાકાતથી આખા ટીંગાઈ ગયા, પણ આંગળી વળી નહિ. પણ આ તો શરીરનું -જડનું બળ બાપુ! તેમાં આત્માને કાંઈ નહિ. નેમિકુમાર તો ત્યારેય જાણતા હતા કે આ શરીરબળ તે હું નહિ, ને આ કસોટીનો વિકલ્પ ઉઠયો તેય હું નહિ. હું તો નિજ ચૈતન્યસ્વરૂપને ધારણ કરનારી વીર્યશક્તિ જેનું બળ છે એવો સ્વરૂપની રચનારૂપ તેને શક્તિનું ફળ-કાર્ય પ્રગટ નહોતું; પણ જ્યાં નિજ વીર્ય શક્તિનો મહિમા લાવી શક્તિમાન દ્રવ્યમાં અંતર્દ્રષ્ટિ કરી કે તત્કાલ સ્વરૂપની રચના કરનારું વીર્ય પર્યાયમાં પ્રગટ થયું. અહાહા...! આ રીતે દ્રવ્યમાં વીર્ય, ગુણમાં વીર્ય ને પર્યાયમાં વીર્ય-એમ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં વીર્યશક્તિ વ્યાપક થાય છે, અને નિર્મળ જ્ઞાન, આનંદ, સુખ, પ્રભુતા, જીવત્વ, સ્વચ્છત્વ આદિ અનંતગુણસ્વભાવોની પર્યાયની રચના કરે છે. અહાહા...! આવી છે આ વીર્ય શક્તિ! સમજાય છે કાંઈ...!

ઓહો! કેવળી પરમાત્માએ બતાવેલો પરમાત્મા થવાનો માર્ગ અહીં સંતો પ્રસાદરૂપે ખુલ્લો કરે છે. અહા! જેમ બાળકની માતા તેને સુવાડવા તેની પ્રશંસાનાં મધુર હાલરડાં ગાય છે કે-

‘દીકરો મારો ડાહ્યો ને પાટલે બેસી નાહ્યો’-ઇત્યાદિ. તેમ અહીં સંતો-કેવળીના કેડાયતીઓ-અજ્ઞાનીઓને જગાડવા તેની (આત્માની) પ્રશંસાના મધુર ગીત ગાય છે. કહે છે-જેની સ્ફુરણા થતાં તું ત્રણલોકનો નાથ થાય એવી વીર્યશક્તિનો સ્વામી તું ભગવાન છો. જાગ રે જાગ! જાગવાના તારે આ અવસર આવ્યા છે. ભગવાન! તારે ભગવાન થવાના અવસર આવ્યા છે; ઇત્યાદિ.

અમે નાની ઉંમરમાં વડોદરામાં એક નાટક જોયેલું. ‘અનસૂયા’નું નાટક હતું. અનસૂયા સતી ગણાતી. તે એક અંધ બાહ્મણને પરણી હતી. તેને એક બાળક થયું. તે પોતાના બાળકને સુવાડવા પારણું ઝુલાવી મીઠી હલકે ગાતી- ‘બેટા!

शुद्धोऽसि, बुद्धोऽसि, उदासीनोऽसि, निर्विकल्पोऽसि

‘હે પુત્ર! તું શુદ્ધ છો, જ્ઞાની છો, ઉદાસીન છો, નિર્વિકલ્પ છો.’ -આમ વખાણ કરતી. આ તો એ વખતનાં નાટકો