Pravachan Ratnakar (Gujarati). Kalash: 268.

< Previous Page   Next Page >


PDF/HTML Page 4158 of 4199

 

કળશ-૨૬૮ઃ ૨૩૯

કાય, ઇન્દ્રિય ઇત્યાદિ દસ પ્રાણ વડે જેણે જીવન માન્યું છે તેય અનંત કાળ જીવે છે ખરો, પણ તે સંસારમાં રખડે છે, કેમકે તે દસ પ્રાણ અને તેની યોગ્યતારૂપ જીવના અશુદ્ધ પ્રાણ તે યથાર્થમાં એની ચીજ નથી. તેના (જડ પ્રાણો ને અશુદ્ધ પ્રાણોના) આલંબનમાં રહેલો જીવ અનંત સંસારમાં પરિભ્રમે છે. હવે આવી વાત છે; સમજાણું કાંઈ...?

અહાહા...! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે; તેમાં એકાગ્ર થઈને સ્થિત રહેવું તે જ્ઞાનચેતના છે, ને રાગમાં સ્થિત રહેવું તે કર્મચેતના છે. બાહ્ય વ્રતાદિમાં સ્થિત રહેવું તે કર્મચેતના છે; ને તેના ફળમાં સ્થિત રહેવું તે કર્મફળ ચેતના છે. જ્ઞાનીને જ્ઞાનચેતના છે, ને અજ્ઞાનીને કર્મચેતના ને કર્મફળચેતના હોય છે. અહીં કહે છે-જેણે જ્ઞાનનય અને ક્રિયાનયની અર્થાત્ સમ્યગ્જ્ઞાન અને સ્વરૂપ સ્થિરતાની ગાઢ મૈત્રી સાધી છે તે જ પુરુષ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનારો છે; તે જ સાધક થઈને સિદ્ધ થાય છે. અહાહા...! સ્વ-આશ્રયે જે જ્ઞાન અને વીતરાગી શાંતિ પ્રગટી છે તેને અહીં જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રી કહી છે.

“જ્ઞાનનય અને ક્રિયાનયના ગ્રહણ-ત્યાગનું સ્વરૂપ અને ફળ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ શાસ્ત્રના અંતમાં કહ્યું છે, ત્યાંથી જાણવું”

* * *
કળશ – ૨૬૮

આમ જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે, તે જ અનંત ચતુષ્ટયમય આત્માને પામે છે-એવા અર્થનું કાવ્ય હવે છેઃ-

(वसन्ततिलका)
चित्पिण्डचण्डिमविलासिविकासहासः
शुध्दप्रकाशभरनिर्भरसुप्रभातः।
आनन्दसुस्थितसदास्खलितैकरूप–
स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा।। २६८।।

શ્લોકાર્થઃ– [तस्य एव] (પૂર્વોક્ત રીતે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે) તેને જ, [चित्–पिण्ड– चण्डिम–विलासि–विकास–हासः] ચૈતન્યપિંડનો નિરર્ગળ વિલસતો જે વિકાસ તે-રૂપ જેનું ખીલવું છે (અર્થાત્ ચૈતન્યપુંજનો જે અત્યંત વિકાસ થવો તે જ જેનું ખીલી નીકળવું છે), [शुध्द–प्रकाश–भर–निर्भर–सुप्रभातः] શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે, [आनन्द–सुस्थित–सदा–अस्खलित–एक–रूपः] આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અસ્ખલિત એક રૂપ છે [च] અને [अचल–अर्चिः] અચળ જેની જ્યોત છે એવો [अयम् आत्मा उदयति] આ આત્મા ઉદય પામે છે.

ભાવાર્થઃ– અહીં ‘चित्पिण्ड’ ઇત્યાદિ વિશેષણથી અનંત દર્શનનું પ્રગટ થવું બતાવ્યું છે, ‘शुध्दप्रकाश’ ઇત્યાદિ વિશેષણથી અનંત જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું છે, ‘आनन्दसुस्थित’ ઇત્યાદિ વિશેષણથી અનંત સુખનું પ્રગટ થવું બતાવ્યું છે અને ‘अचलार्चि’ વિશેષણથી અનંત વીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે. પૂર્વોક્ત ભૂમિનો આશ્રય કરવાથી જ આવા આત્માનો ઉદય થાય છે. ૨૬૮.

* કળશ ૨૬૮ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

બેસતા વર્ષને સુપ્રભાત કહે છે ને? રાત્રિના અંધકારનો નાશ થઈ ભૂમંડળમાં સૂર્યનાં કિરણો ફેલાય તેને સુપ્રભાત કહે છે; તેમ પુણ્ય-પાપની એકતાબુદ્ધિરૂપ અંધકારને ભેદીને સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપ જે ચૈતન્યની જ્યોતિ ઝળહળ પ્રગટ થાય તેને સુપ્રભાત કહે છે. અહા! આવું સુપ્રભાત જેને પ્રગટયું તે જીવે દિવાળી કરી, દિ’ નામ કાળને તેણે અંતરમાં વાળ્‌યો. સમજાણું કાંઈ...? એ જ કહે છે-

‘तस्य एव’ (પૂર્વોક્ત રીતે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે) તેને જ, ‘चित्–पिण्ड–चण्डिम– विलासि–विकास–हासः’ ચૈતન્યપિંડનો નિરર્ગળ વિલસતો જે વિકાસ તે-રૂપ જેનું ખીલવું છે (અર્થાત્ ચૈતન્યપુંજનો