‘માટે મોક્ષનો ઇચ્છક પુરુષ એ જ પ્રાર્થના કરે છે કે-મારો પૂર્ણસ્વભાવ આત્મા મને પ્રગટ થાઓ; બંધમોક્ષ- માર્ગમાં પડતા અન્ય ભાવોનું મારે શું કામ છે?’
જુઓ આ ધર્મીની ભાવના! મોક્ષના ઇચ્છુક ધર્મી પુરુષો નિરંતર પરમાત્મપદની-પૂર્ણસ્વભાવની પ્રાપ્તિરૂપ સિદ્ધપદની જ ભાવના ભાવે છે; એમને બીજી કોઈ ઇચ્છા હોતી નથી. તેમને બંધમોક્ષમાર્ગમાં પડતા જે અન્ય ભાવો તેનાથી પ્રયોજન નથી. વ્રતાદિ વિકલ્પો ને તેના ફળમાં પ્રાપ્ત થતાં ઇન્દ્રાદિ પદો-એનાથી ધર્મીને પ્રયોજન નથી. ધર્મીની દ્રષ્ટિ પૂર્ણ દ્રવ્યસ્વભાવ પર હોય છે, અને પૂર્ણની પ્રાપ્તિની જ તેને ભાવના હોય છે. ધર્મીની અંતરદશા અલૌકિક હોય છે, લૌકિક પદોમાં તે રાચતા નથી. આવી વાત છે.
‘જોકે નયો વડે આત્મા સધાય છે તોપણ જો નયો પર જ દ્રષ્ટિ રહે તો નયોમાં તો પરસ્પર વિરોધ પણ છે, માટે હું નયોને અવિરોધ કરીને અર્થાત્ નયોનો વિરોધ મટાડીને આત્માને અનુભવું છું’-એવા અર્થનું કાવ્ય કહે છેઃ-
सद्यः प्रणश्यति नयेक्षणखण्डयमानः।
मेकान्तशान्तमचलं चिदहं महोऽस्मि।। २७०।।
શ્લોકાર્થઃ– [चित्र–आत्मशक्ति–समुदायमयः अयम् आत्मा] અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય आ आत्मा [नय–ईक्षण–खण्डयमानः] નયોની દ્રષ્ટિથી ખંડખંડરૂપ કરવામાં આવતાં [सद्यः] તત્કાળ [प्रणश्यति] નાશ પામે છે; [तस्मात्] માટે હું એમ અનુભવું છું કે– [अनिराकृत–खण्डम् अखण्डम्] જેમાંથી ખંડોને નિરાકૃત કરવામાં આવ્યા નથી છતાં જે અખંડ છે, [एकम्] એક છે, [एकान्त–शान्तम्] એકાંત શાંત છે (અર્થાત્ જેમાં કર્મના ઉદયનો લેશ પણ નથી એવા અત્યંત શાંત ભાવમય છે) અને [अचलम्] અચળ છે (અર્થાત્ કર્મના ઉદયથી ચળાવ્યું ચળતું નથી) એવું [चिद् महः अहम् अस्मि] ચૈતન્યમાત્ર તેજ હું છું.
ભાવાર્થઃ– આત્મામાં અનેક શક્તિઓ છે અને એક એક શક્તિનો ગ્રાહક એક એક નય છે; માટે જો નયોની એકાંત દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્માના ખંડ ખંડ થઈને તેનો નાશ થઈ જાય. આમ હોવાથી સ્યાદ્વાદી, નયોનો વિરોધ મટાડીને ચૈતન્યમાત્ર વસ્તુને અનેકશક્તિસમૂહરૂપ, સામાન્યવિશેષસ્વરૂપ, સર્વશક્તિમય એકજ્ઞાનમાત્ર અનુભવે છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે, એમાં વિરોધ નથી. ૨૭૦.
‘चित्र–आत्मशक्ति–समुदायमयः अयम् आत्मा’ અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય આ આત્મા ‘नय–ईक्षण–खण्डयमानः’ નયોની દ્રષ્ટિથી ખંડખંડરૂપ કરવામાં આવતાં ‘सद्यः’ તત્કાળ ‘प्रणश्यति’ નાશ પામે છે;...
અહાહા...! અનંત શક્તિઓના સમુદાયમય ભગવાન આત્મા છે. ભગવાન આત્મા જીવત્વ, ચિતિ, દૃશિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ આદિ અનંત ગુણના સમુદાયમય અખંડ એક ચૈતન્યવસ્તુ છે. સમયસારમાં ૪૭ શક્તિઓનું આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે, પણ આત્મા છે અનંત ગુણના સમુદાયમય વસ્તુ.
અહાહા...! આ તો અલૌકિક અમૃતભર્યા કલશો છે ભાઈ! જેને સંસારનું દુઃખ મટાડી અનાકુળ આનંદમાં રહેવું છે એના માટે આ અલૌકિક વાત છે. વાદવિવાદ કરી બીજાને હરાવવા છે એના માટે આ વાત નથી. યોગસારમાં આવે છે ને કે-