Pravachan Ratnakar (Gujarati). Kalash: 274.

< Previous Page   Next Page >


PDF/HTML Page 4181 of 4199

 

૨૬૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧

અહા! આત્મા (૧) પર્યાય અપેક્ષાએ અનેક છે ને દ્રવ્ય અપેક્ષાએ એક છે. (૨) પર્યાય અપેક્ષાએ નાશવાન છે ને દ્રવ્ય અપેક્ષાએ નાશવાન નહીં પણ ધ્રુવ છે. (૩) જ્ઞાન (જાણવાની) અપેક્ષાએ તેનો વિસ્તાર જોઈએ તો જાણે કે લોકાલોકને ગળી ગયો હોય તેટલો છે. અને બીજી તરફથી ક્ષેત્ર અપેક્ષાએ જોતાં તે પોતાના અસંખ્ય પ્રદેશોમાં જ સમાયેલ છે. -આવો જ વસ્તુનો સ્વભાવ છે તેથી જ્ઞાનીને આશ્ચર્ય થતું નથી. અને તોપણ તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્ભુત પરમ આનંદ થાય છે અર્થાત્ આવા વસ્તુસ્વભાવને જ્યાં જોવા ને તેમાં ઠરવા જાય છે ત્યાં તેમને અદ્ભુત આનંદ થાય છે. અને તેથી આશ્ચર્ય પણ થાય છે. એટલે કે તે અદ્ભુત આનંદને લઈને જ્ઞાનીને આશ્ચર્ય પણ થાય છે એમ કહે છે.

અહા! અજ્ઞાનીને આવો તે વસ્તુસ્વભાવ હોય? -એમ આશ્ચર્ય થાય છે. જ્યારે જ્ઞાનીને આ આનંદ કયાંથી આવ્યો? -એમ આશ્ચર્ય ને આનંદ-બન્ને થાય છે. અહા! પર્યાયમાં એકલું દુઃખ ને એકલી આકુળતા હતી. કયાંય (પર્યાયમાં) ગંધમાત્ર પણ આનંદ નહોતો. તેમાં આ આનંદ કયાંથી-કઈ ખાણમાંથી-આવ્યો? ધ્રુવની ખાણમાંથી તે આનંદ આવ્યો છે. આ રીતે તેને આનંદ પણ થાય છે ને આશ્ચર્ય પણ થાય છે.

કળશ–૨૭૪

ફરી આ જ અર્થનું કાવ્ય કહે છેઃ–

(पृथ्वी)
कषायकलिरेकत स्खलति शान्तिरस्त्येकतो
भवोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः।
जगत्त्रितयमेकतः स्फुरति चिच्चकास्त्येकतः
स्वभावमहिमात्मनो विजयतेऽद्भुतादद्भुतः।। २७४।।

શ્લોકાર્થઃ– [एकतःकषाय–कलिः स्खलति] એક તરફથી જોતાં કષાયોનો કલેશ દેખાય છે અને [एकतःशान्तिः अस्ति] એક તરફથી જોતાં શાન્તિ (કષાયોના અભાવરૂપ શાંત ભાવ) છે; [एकतः भव– उपहतिः] એક તરફથી જોતાં ભવની (–સંસાર સંબંધી) પીડા દેખાય છે અને [एकतः मुक्तिः अपि स्पृशति] એક તરફથી જોતાં (સંસારના અભાવરૂપી) મુક્તિ પણ સ્પર્શે છે; [एकतः त्रितयम् जगत् स्फुरति] એક તરફથી જોતાં ત્રણ લોક સ્ફુરાયમાન છે (–પ્રકાશે છે, દેખાય છે) અને [एकतः चित् चकास्ति] એક તરફથી જોતાં કેવળ એક ચૈતન્ય જ શોભે છે. [ आत्मनः अद्भुतात् अद्भुतः स्वभाव–महिमा विजयते] (આવો) આત્માનો અદ્ભુતથી પણ અદ્ભુત સ્વભાવમહિમા જયવંત વર્તે છે (–કોઇથી બાધિત થતો નથી).

ભાવાર્થઃ– અહીં પણ ૨૭૩ મા કાવ્યના ભાવાર્થ પ્રમાણે જાણવું. આત્માનો અનેકાંતમય સ્વભાવ સાંભળીને અન્યવાદીને ભારે આશ્ચર્ય થાય છે. તેને આ વાતમાં વિરુદ્ધતા ભાસે છે. તે આવા અનેકાંતમય સ્વભાવની વાતને પોતાના ચિત્તમાં સમાવી–જીરવી શકતો નથી. જો કદાચિત્ તેને શ્રદ્ધા થાય તોપણ પ્રથમ અવસ્થામાં તેને બહુ અદ્ભુતતા લાગે છે કે ‘ અહો આ જિનવચનો મહા ઉપકારી છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારાં છે; મેં અનાદિ કાળ આવા યથાર્થ સ્વરૂપના જ્ઞાન વિના ખોયો!’–આમ આશ્ચર્યપૂર્વક શ્રદ્ધાન કરે છે. ૨૭૪.

* કળશ ૨૭૪ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

અહા!જુઓ, આ આત્મા એક વસ્તુ છે. તો સાધકપણામાં એના દ્રવ્ય-પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ ધર્મીને કેવું ભાસે