Pravachan Ratnakar (Gujarati). Kalash: 276.

< Previous Page   Next Page >


PDF/HTML Page 4185 of 4199

 

૨૬૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ થતી રહે છે. પહેલાં અછિન્ન તત્ત્વ-ઉપલબ્ધિ કહી, અને અહીં નિયમિત નિષ્કંપ જ્યોતિ કહીને જ્ઞાનની ધારા પૂર્ણ થઈ ગયાનું કહે છે.

અહા! આવો આ પ્રત્યક્ષ અનુભવગોચર ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે; કોઈથી બાધિત ન થાય એવો સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. જુઓ આ માંગળિકમાં માંગળિક! આવી ચિત્ચમત્કાર સર્વોત્કૃષ્ટ વસ્તુને છોડીને દયા પાળવી, વ્રત કરવાં ને ભક્તિ-પૂજા કરવાં-ઇત્યાદિ શુભભાવ કરવાં એ તો બધો રાગ છે બાપુ! એમાં કાંઈ નથી, એ કાંઈ ધર્મ નથી. અહીં તો કેવળજ્ઞાન આદિ અનંત ચતુષ્ટય એવું જે પૂર્ણ સ્વરૂપ-કે જે સદા નિષ્કંપ ને સર્વોત્કૃષ્ટ જયવંત વર્તે છે તે માંગળિક છે.

અહા! જેમાં કેવળજ્ઞાન આદિ સદા નિષ્કંપ વર્તે એવો ચૈતન્યચમત્કાર પ્રભુ તું છો; તેને છોડીને તારે કેવો ચમત્કાર જોઈએ? બહારની લબ્ધિમાં તો ધૂળેય નથી, બાર અંગની લબ્ધિને પણ (કળશ ટીકામાં) વિકલ્પ કહ્યો છે. વાસ્તવિક ચમત્કાર તો પરમાનંદની-પૂર્ણાનંદની પર્યાયમાં પ્રાપ્તિ થવી તે જ છે.

‘(અહીં ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે એમ કહેવામાં જે ચૈતન્યચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું બતાવ્યું, તે જ મંગળ છે.)’

અહાહા...! ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં’ પોતાના ચૈતન્યનું રહેવું એવું જે સિદ્ધપદ તે જયવંત વર્તો એમ કહે છે. સમજાણું કાંઈ...?

* * *

હવેના કાવ્યમાં ટીકાકાર આચાર્યદેવ પૂર્વોકત આત્માને આશીર્વાદ આપે છે અને સાથે સાથે પોતાનું નામ પણ પ્રગટ કરે છેઃ–

(मालिनी)
अविचलितचिदात्मन्यात्मनात्मानमात्म–
न्यनवरतनिमग्नं
धारयद् ध्वस्तमोहम्।
उदितममृतचन्द्रज्योतिरेतत्समन्ता–
ज्ज्वलतु विमलपूर्ण निःसपत्नस्वभावम्।। २७६ ।।

શ્લોકાર્થઃ– [अविचलित–चिदात्मनि आत्मनि आत्मानम् आत्मना अनवरत–निमग्नं धारयत्] જે અચળ– ચેતનાસ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ અનવરતપણે (–નિરંતર) નિમગ્ન રાખે છે (અર્થાત્ પ્રાપ્ત કરેલા સ્વભાવને કદી છોડતી નથી), [ध्वस्त–मोहम्] જેણે મોહનો (અજ્ઞાન–અંધકારનો) નાશ કર્યો છે, [निःसपत्नस्वभावम्] જેનો સ્વભાવ નિઃસપત્ન (અર્થાત્ પ્રતિપક્ષી કર્મો વિનાનો) છે, [विमल–पूर्ण] જે નિર્મળ છે અને જે પૂર્ણ છે એવી [एतत् उदितम् अमृतचन्द्र–ज्योतिः] આ ઉદય પામેલી અમૃતચંદ્રજ્યોતિ (–અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ, જ્ઞાન, આત્મા) [समन्तात् ज्वलतु] સર્વ તરફથી જાજ્વલ્યમાન રહો.

ભાવાર્થઃ– જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે; વળી જે અત્યંત સ્વાદિષ્ટ (– મીઠું) હોય તેને લોકો રૂઢિથી અમૃત કહે છે. અહીં જ્ઞાનને–આત્માને–અમૃતચંદ્રજ્યોતિ (અર્થાત્ અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ) કહેલ છે, તે લુપ્તોપમા અલંકારથી કહ્યું જાણવું; કારણ કે ‘अमृतचन्द्रवत् ज्योतिः’નો સમાસ કરતાં ‘वत्’ નો લોપ થઈ ‘अमृतचन्द्रज्योतिः’ થાય છે.

(‘वत्’ શબ્દ ન મૂક્તાં અમૃતચંદ્રરૂપ જ્યોતિ એવો અર્થ કરીએ તો ભેદરૂપક અલંકાર થાય છે. ‘અમૃતચંદ્રજ્યોતિ’ એવું જ આત્માનું નામ કહીએ તો અભેદરૂપક અલંકાર થાય છે.)

આત્માને અમૃતમય ચંદ્રમા સમાન કહ્યો હોવા છતાં, અહીં કહેલાં વિશેષણો વડે આત્માને ચંદ્રમા સાથે વ્યતિરેક પણ છે; કારણ કે––‘ध्वस्तमोह’ વિશેષણ અજ્ઞાન–અંધકારનું દૂર થવું જણાવે છે, ‘विमलपूर्ण’ વિશેષણ લાંછનરહિતપણું તથા પૂર્ણપણું બતાવે છે, ‘निःसपत्नस्वभाव’ વિશેષણ રાહુબિંબથી તથા વાદળાં આદિથી