Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4184 of 4199

 

કળશ-૨૭પઃ ૨૬પ

(–પોતાના સ્વભાવરૂપ) તેજઃપુંજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી જેમાં અનેક ભેદો થતા દેખાય છે તોપણ જેનું એક જ સ્વરૂપ છે (અર્થાત્ કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળક્તા હોવાથી જે અનેક જ્ઞેયાકારરૂપ દેખાય છે તોપણ ચૈતન્યરૂપ જ્ઞાનાકારની દ્રષ્ટિમાં જે એકસ્વરૂપ જ છે), [स्व–रस–विसर–पूर्ण–अच्छिन्न–तत्त्व–उपलम्भः] જેમાં નિજ રસના ફેલાવથી પૂર્ણ અછિન્ન તત્ત્વ–ઉપલબ્ધિ છે (અર્થાત્ પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં સ્વરૂપ–અનુભવનનો અભાવ થતો નથી) અને [प्रसभ–नियमित–अर्चिः] અત્યંત નિયમિત જેની જ્યોત છે (અર્થાત્ અનંત વીર્યથી જે નિષ્કંપ રહે છે) [एषः चित्–चमत्कारः जयति] એવો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે (–કોઈથી બાધિત ન કરી શકાય એમ સર્વોત્કૃષ્ટપણે વર્તે છે).

(અહીં ‘ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે’ એમ કહેવામાં જે ચૈતન્યચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું બતાવ્યું, તે જ મંગળ છે.) ૨૭પ.

* કળશ ૨૭પઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘सहज–तेजः पुञ्ज–मज्जत्–त्रिलोकी–स्खलत्–अखिल–विकल्पः अपि एकः एव स्वरूपः’ સહજ (- પોતાના સ્વભાવરૂપ) તેજઃ પુંજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી જેમાં અનેક ભેદો થતા દેખાય છે તોપણ જેનું એક જ સ્વરૂપ છે (અર્થાત્ કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળકતા હોવાથી જે અનેક જ્ઞેયાકારરૂપ દેખાય છે તોપણ ચૈતન્યરૂપ જ્ઞાનાકારની દ્રષ્ટિમાં જે એકસ્વરૂપ જ છે),...

જુઓ, શું કહે છે? કે પોતાના જ્ઞાનના તેજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી, અર્થાત્ ત્રણ લોકના પદાર્થો જ્ઞાનમાં જણાતા હોવાથી, જાણે કે ત્રણ લોકના પદાર્થો અહીં જ્ઞાનમાં પેસી ગયા હોય એમ જ્ઞાનમાં અનેક ભેદો થતા દેખાય છે તોપણ, કહે છે, જ્ઞાનનું એક જ સ્વરૂપ છે. અહા! કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળકતા હોવાથી અનેક જ્ઞેયાકારરૂપે તે દેખાય છે, અર્થાત્ લોકાલોકને જાણતાં જ્ઞાન જ્ઞેયાકાર થતું દેખાય છે તોપણ ખરેખર જ્ઞાન જ્ઞાનાકાર જ છે, જ્ઞેયાકારરૂપે થયું નથી. અનેકને જાણતાં પણ જ્ઞાન એકરૂપ (જ્ઞાનરૂપ જ) રહે છે. લોકાલોકને જાણનારી જ્ઞાનની દશા પોતાની જ છે, તેમાં પરજ્ઞેયોનો પ્રવેશ નથી. અહા! જ્ઞાન અનેકને જાણવા છતાં અનેકરૂપ થતું નથી, એકરૂપ જ રહે છે.

હવે વિશેષ કહે છે-‘स्व–रस–विसर–पूर्ण–अच्छिन्न–तत्त्व–उपलम्भः’ જેમાં નિજ રસના ફેલાવથી પૂર્ણ અછિન્ન તત્ત્વ-ઉપલબ્ધિ છે (અર્થાત્ પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં સ્વરૂપ-અનુભવનનો અભાવ થતો નથી) અને...

અહાહા...! શુદ્ધ આત્માની પૂર્ણ અનુભવ દશા, પૂર્ણ ઉપલબ્ધિ થઈ તે થઈ, હવે તેનો અભાવ નહિ થાય. પ્રવચનસાર ગાથા ૧૭૨ની ટીકાના નવમા બોલમાં આવે છે કે-‘ઉપયોગનું કોઈથી હરણ થતું નથી,’ એટલે કે એક વાર શુદ્ધાત્માના આશ્રયે જે ઉપયોગ પ્રગટ થયો તેનો કોઈથી નાશ થતો નથી. દ્રવ્યસ્વભાવનો નાશ થાય તો તેના આશ્રયે પ્રગટ થયેલા ઉપયોગનો નાશ થાય. (પણ એમ થતું નથી, થવું સંભવિત નથી). વસ્તુસ્થિતિ આવી છે.

અહાહા...! ભગવાન આત્મા એક જ્ઞાયકસ્વભાવ પ્રભુ-તેન દ્રષ્ટિ ને રમણતાની પૂર્ણતા થઈતે ફરીને હવે નીચે પડે ને સાધકદશા થાય વા વિપરીતતા થાય એમ બનતું નથી. એક વાર સાધકમાંથી સિદ્ધપદની પ્રાપ્તિ થાય તે હવે સિદ્ધપદમાંથી સાધક થાય કે પર્યાયમાં વિપરીતતા થાય એમ બનતું નથી. સિદ્ધપદ પ્રાપ્ત થયું તેને છેદાય નહિ તેવી તત્ત્વોપલબ્ધિ થઈ. તત્ત્વની ઉપલબ્ધિ એટલે શું? તત્ત્વ તો તત્ત્વરૂપ છે જ, પરંતુ જેવું તત્ત્વ છે એવી તેની પૂર્ણ દશા થાય એટલે તત્ત્વની ઉપલબ્ધિ થઈ કહેવાય. સમજાણું કાંઈ...?

અને ‘पसभ–नियमित–अर्चिः’ અત્યંત નિયમિત જેની જ્યોતિ છે (અર્થાત્ અનંત વીર્યથી જે નિષ્કંપ રહે છે) ‘एषः चित्चमत्कारः जयति’ એવો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે. (-કોઈથી બાધિત ન કરી શકાય એમ સર્વોત્કૃષ્ટપણે વર્તે છે.)

અહાહા...! કેવળજ્ઞાન જ્યોતિ જે પ્રગટ થઈ તે, કહે છે, અનંત વીર્યથી સદા નિષ્કંપ એકરૂપ રહે છે. જુઓ, અહીં અનંત વીર્ય લીધું. અહાહા...! અનંત વીર્ય વડે આ કેવળજ્ઞાન જ્યોતિ, બીજે સમયે, ત્રીજે સમયે એવી ને એવી પ્રગટ