Pravachan Ratnakar (Gujarati). Gatha: 35.

< Previous Page   Next Page >


PDF/HTML Page 450 of 4199

 

ગાથા–૩પ

अथ ज्ञातुः प्रत्याख्याने को द्रष्टान्त इत्यत आह–

जह णाम को वि पुरिसो परदव्वमिणं ति जाणिदुं चयदि।
तह सव्वे परभावे णाऊण विमुंचदे णाणी।। ३५ ।।
यथा नाम कोऽपि पुरुषः परद्रव्यमिदमिति ज्ञात्वा त्यजति।
तथा सर्वान् परभावान् ज्ञात्वा विमुञ्चति ज्ञानी।। ३५ ।।

હવે પૂછે છે કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું તેનું દ્રષ્ટાંત શું છે? તેના ઉત્તરરૂપ દ્રષ્ટાંત-દ્રાર્ષ્ટાંતની ગાથા કહે છેઃ-

આ પારકું એમ જાણીને પરદ્રવ્યને કો નર તજે,
ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ૩પ.

ગાથાર્થઃ– [यथा नाम] જેમ લોકમાં [कः अपि पुरुषः] કોઈ પુરુષ [परद्रव्यम् इदम् इति ज्ञात्वा] પરવસ્તુને ‘આ પરવસ્તુ છે’ એમ જાણે ત્યારે એવું જાણીને [त्यजति] પરવસ્તુને ત્યાગે છે, [तथा] તેવી રીતે [ज्ञानी] જ્ઞાની [सर्वान्] સર્વ [परभावान्] પરદ્રવ્યોના ભાવોને [ज्ञात्वा] ‘આ પરભાવ છે’ એમ જાણીને [विमुञ्चति] તેમને છોડે છે.

ટીકાઃ– જેમ-કોઇ પુરુષ ધોબીના ઘરેથી ભ્રમથી બીજાનું વસ્ત્ર લાવી,પોતાનું જાણી ઓઢીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની (-આ વસ્ત્ર બીજાનું છે એવા જ્ઞાન વિનાનો) થઈ રહ્યો છે; જ્યારે બીજો તે વસ્ત્રનો ખૂણો પકડી, ખેંચી તેને નગ્ન કરે છે અને કહે છે કે ‘તું શીઘ્ર જાગ, સાવધાન થા, આ મારું વસ્ત્ર બદલામાં આવી ગયું છે તે મારું મને દે’, ત્યારે વારંવાર કહેલું એ વાકય સાંભળતો તે, (એ વસ્ત્રનાં) સર્વ ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને, ‘જરૂર આ વસ્ત્ર પારકું જ છે’ એમ જાણીને, જ્ઞાની થયો થકો, તે (પરના) વસ્ત્રને જલદી ત્યાગે છે. તેવી રીતે-જ્ઞાતા પણ ભ્રમથી પરદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી, પોતાના જાણી, પોતામાં એકરૂપ કરીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે; જ્યારે શ્રી ગુરુ પરભાવનો વિવેક (ભેદજ્ઞાન) કરી તેને એક આત્મભાવરૂપ કરે અને કહે કે ‘તું શીઘ્ર જાગ, સાવધાન થા, આ તારો આત્મા ખરેખર એક (જ્ઞાનમાત્ર) જ છે, (અન્ય સર્વ પરદ્રવ્યના ભાવો છે), ’ ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાકય સાંભળતો તે, સમસ્ત (સ્વ-પરનાં) ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને,